ચક્ષુદાન
રાજકોટ:
મોઢ વણિક સમાજ રાજકોટના સ્વ. લતાબેન કિરીટભાઇ દોશીનું અવસાન થતા સદગતના પુત્ર અમીતભાઇ,
પરિવારજનોએ ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના સક્રિય કાર્યકર્તા કેતનભાઇ મેસવાણીની
પ્રેરણાથી ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શન
મુકેશભાઇ દોશી અને ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઇ મોદીએ
દોશી પરિવારનો આભાર માનેલ. સંસ્થાનું આ 158મું ચક્ષુદાન છે.
રાજકોટ:
નયનભાઈ પ્રભુદાસભાઈ શાહ (ઉ.71) તે નિશાબેન શાહના પતિ, હરીશભાઈ પ્રભુદાસભાઈ શાહના ભાઈ,
સ્વ.શાલિન નયનભાઈ શાહના પિતાનું તા.20ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.21ના સોમવારે
બપોરે 12 કલાકે નીકળશે. બંને પક્ષનું બેસણું તા.24ના સાંજે 5-30 થી 6-30, “ઈન્દુ’’,
11/2, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર કો.ઓપ.હા. સોસાયટી, રાજકોટ છે.
જામનગર:
હાલાઈ ભાટીયા નલીનકુમાર ભગવાનદાસ આશર (વલ્લભ સાઈકલ)(ઉ.76) તે મયંકભાઈ તેમજ શીતલ કમલકુમારના
પિતાશ્રી, પ્રભુદાસભાઈ, જીતેન્દ્રભાઈ, કાનનબાળાબેન હરિકાન્ત ઉદેશીના ભાઈ, નેહાબેન મયંકભાઈ,
કમલકુમાર સંપટના સસરા, સ્વ.જીવણદાસ કલ્યાણજી વેદ (મુંબઈ)ના જમાઈ, કિશનભાઈ, અશ્વિનભાઈ
વેદ (મુંબઈ)ના બનેવીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સાંજે 5 થી 5-30, તળાવની
પાળ, પાબારી હોલમાં ભાઈઓ અને બહેનો માટે સાથે છે.
જામખંભાળિયા:
ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ભાડથર નિવાસી હાલ ખંભાળિયા સ્વ.રતિલાલ જીવણલાલ વ્યાસ (રીબડા)ના
પુત્ર પરેશ રતિલાલ વ્યાસના પુત્ર રવિભાઈ (ઉ.34) તે બાહુલભાઈ વ્યાસના ભત્રીજા, નિલેશ
ભૂપતલાલ ભટ્ટના ભાણેજ, સ્વ.કિશોરભાઈ મણિકાન્ત નાકરના જમાઈનું તા.19ના દુબઈ ખાતે અવસાન
થયું છે. સ્મશાન યાત્રા તા.21ના સોમવારે સાંજે 4 વાગ્યે જામખંભાળિયા તેમના નિવાસ સ્થાનેથી
નીકળશે. બેસણું તા.24ના ગુરૂવારે બપોરે 3 થી 5 સુધી વાણંદ જ્ઞાતિની વાડી એસ.ટી.ડેપો
પાછળ, જામખંભાળિયા છે.
રાજકોટ:
જયાબેન પ્રફુલભાઈ ત્રિવેદી તે ધર્મેશભાઈ ત્રિવેદી, રશ્મિબેનના માતુશ્રી, નિશીથભાઈ ઉપાધ્યાયના
સાસુ, મહેન્દ્રભાઈ ત્રિવેદીના ભાભી, મનીષાબેન ધર્મેશભાઈ ત્રિવેદીના સાસુ, યુગ, આયુષીના
દાદી, ડો.ઈશિતા અભિષેક શાત્રીના નાનીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે
5 થી 7, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિ રત્ન પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.દેરાળા હાલ રાજકોટ કનકરાય જીવનલાલ મહેતા (ઉ.62) તે સ્વ.જીવનલાલ
ક્રિપાશંકર મહેતાના પુત્ર, આનંદભાઈ, ભુમી કૃણાલ પંડયાના પિતાશ્રી, પ્રદીપભાઈ અને હર્ષદના
નાનાભાઈ, તે શૈલેષભાઈ, સુબોધભાઈ, કુસુમબેનના
મોટાભાઈ, તે સ્વ.લાભશંકર કરશનજી પંડયા (ઉકરડા)ના જમાઈનું તા.19ના અવસાન થયું છે. બંને
પક્ષનું બેસણું તા.21ના સાંજે 5 થી 6, ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મિલપરા મેઈન
રોડ, રાજકોટ છે.
મોરબી:
ઔ.ગુ.સા.ચારસો બ્રાહ્મણ મુળ તરઘડી હાલ મોરબી હંસાબેન નટવરલાલ ભટ્ટ (ઉ.65) તે સ્વ.નટવરલાલ
અમૃતલાલ ભટ્ટના પત્ની, જયેશભાઈ નટવરલાલ ભટ્ટના માતુશ્રી, ભરતભાઈ અમૃતલાલ ભટ્ટના ભાભીનું
તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24ના સાંજે 4 થી 6, અનંતનગર સોસાયટી, ત્રાજપર ખારી,
ધૂંટું રોડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે છે.
ભચાઉ:
જીતેન્દ્ર આણંદજી ઠક્કર (ખટાઉભાઇ) રાજદેવ (ભુજ વાળા) (નિવૃત્ત જી.કે. જનરલ હોસ્પિટલ)તે ગામ ચોબારીના (ખડીર વાલા), દિવાળીબેન
આણંદજીભાઇ ધનજીભાઇ ઠક્કરના પુત્ર, સ્વ. ઠક્કર દિવાળીબેન પોપટલાલ, સ્વ. ઠક્કર દિવાળીબેન
મંગળજીભાઇના ભત્રીજા, સ્વ. હેમલતાબેન તથા કૌશલ્યાબેનના પતિ, કનુભાઇ, લીલાવન્તીબેન પ્રભુલાલ,
તારાબેન ચંપકલાલ, હંસાબેન ધીરજલાલના મોટા ભાઇ, ચિરાગ (ઇન્ડસિન્ડ બેંક), સૌમ્યના પિતાશ્રી,
ગાયત્રી તથા રીનાના સસરા, ભાવેશના દાદા, સ્વ. ચંદનબેન મગનલાલ સુંદરજી મિરાણી તથા સ્વ.
મણિબેન નરભેરામ ગોપાલજી પુજારાના જમાઇ, મનસુખભાઇ ગોપાલજી પુજારાના ભત્રીજા જમાઇ, ગીતાબેન
ગીરધરલાલ, કંચનબેન ખીમજીભાઇ, દમયંતીબેન ગીરધરભાઇ, પ્રિતીબેન મનોજભાઇના બનેવીનું તા.18ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.21નાં સાંજે 5 થી 6 ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી,
રામધુન મંદિર પાસે છે.
ગોંડલ:
લીલાવંતી અંબાલાલ બોરડ (ઉ.84) તે અશ્વિનભાઇ, સતીષભાઇ તથા હિતેશભાઇના માતુશ્રીનું તા.19ના
અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે પાંચથી
સાત ‘રાજા’ સ્ટેશન પ્લોટ શેરી નં.6, જમનાબાઇની હવેલી પાસે, પાવર હાઉસ નજીક ગોંડલ છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ. પ્રભુલાલ નાનજી જોશીના પુત્રવધુ, સ્વ. બિપીનચંદ્ર
પ્રભુલાલ જોશીના પત્ની પુષ્પાબેન તે સ્વ. મંગળજીભાઇ મયાશંકર ભટ્ટના પુત્રી, ધર્મેશભાઇ,
મનોજભાઇ તેમજ અલકાબેન લલીતભાઇ કુરાણી, સ્વ. કલ્પનાબેન વિપુલભાઇ પંડયા, છાયાબેન યોગેશભાઇ
રાવલના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું, ઉઠમણું તા.21ના સાંજે
5 થી6 રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલમાં છે.
રાજકોટ: કિશોરભાઇ પ્રાગજીભાઇ ગોટેચા (ઉ.70) તે ઇન્દિરાબેનના
પતિ, સ્વ. કેતનભાઇ, ભાવીનભાઇ, મનીષાબેનના પિતાશ્રી, નિલેશકુમાર ધીરજલાલ કટારીયાના સસરા,
સ્વ. હરિભાઇ ગોટેચા, સુરેશભાઇ, (પોરબંદર)ના નાના ભાઇ, કનૈયાલાલ દયાળજીભાઇ રાજદેવ, લલીતભાઇના
બનેવીનું તા.20ના અવસાન થયું છે. બેસણું, પિયર
પક્ષની સાદડી તા.21નાં સાંજે 5 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.