• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

માંગરોળ : લોહાણા ભાવનાબેન કોટેચા (ઉં.50) તે પરેશભાઈના પત્ની, હેમેન્દ્રભાઈ કોટેચા (વેરાવળ પીપલ્સ બેંક માંગરોળ)ના ભાભી, સરસ્વતીબેન પુરુસોત્તમભાઈ રાડિયાના પુત્રી, સ્વ.કુંદનબેન, વિપુલભાઈ, રાજુભાઈના બેનનું તા.29ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.1ના સાંજે 5થી 6, લોહાણા મહાજન સમાજની વાડી, માંગરોળ ખાતે રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.

રાજકોટ: સ્વ. જ્યોત્સનાબેન હિરજીભાઇ ભૂત તે અશોકભાઇનાં માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.2ના સવારના 8થી 10  અમરનાથ મંદિર, બિગબજાર પાછળ, 150 ફિટ રિંગ રોડ, રાજકોટ છે.

વીરપુર (જલારામ): મૂળ વીરપુરના હાલ સુરત ઠા. ગીરધરલાલ નારણદાસ રૂપારેલિયા (બટુકભાઇ-રૂપમ) (ઉં.71)તે જીજ્ઞેશભાઇ, ચિરાગભાઇ, માધવીબેન નીરવભાઇ રાજા (મોરબી)ના પિતાશ્રી, સ્વ. ચીમનભાઇ, સ્વ. મગનભાઇ, પ્રભુદાસભાઇના ભાઇ, સ્વ. રમણીકલાલ તુલસીદાસ ઔંધીયાના જમાઇનું તા.29ના અવસાન થયું છે. બેસણું સ્વસુરપક્ષની સાદડી બન્ને સાથે તા.3-6ના સાંજે 5થી 6 ગાયત્રી મંદિર, રેલવે સ્ટેશન રોડ, વીરપુર (જલારામ) છે.

રાજકોટ: મૂળ રંગપર હાલ રાજકોટ હેમકુંવરબા રણજિતસિંહ ઝાલા (ઉં.75) તે દિલાવરસિંહ, નિર્મળસિંહ, કાકુભાનાં માતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6 મંગલેશ્વર મહાદેવ મંદિર, સદ્ગુરુ નગર યુનિવર્સિટી રોડ, રાજકોટ  છે.

પોરબંદર: બોખીરાના મોહનલાલ નારણજી જોષી (ઉં.91)તે વિજયભાઇ, પ્રફુલ્લભાઇના પિતાશ્રીનું તા.31ના અવસાન થયું છે. સાદડી તા.2ના 4થી 5 બોખીરા કન્યા શાળા પાસેના તેમનાં નિવાસસ્થાને છે.

પોરબંદર: મૂળ બળેજના અને હાલ પોરબંદર હરિલાલ કેશવજી કોટેચા (ઉં.93)તે રમેશભાઇ (કનુભાઇ), સુરેશભાઇ, હિતેશભાઇના પિતાશ્રી, આશિષભાઇ, દિવ્યેશભાઇ અને મનભાઇના દાદા, સ્વ. હર્ષાબેન સોમૈયા (કુતિયાણા), સ્વ. રાધાબેન વસંત (મુંબઇ)ના ભાઇ, સ્વ. ચુનીલાલ ગોકલદાસ જટાણીયાના જમાઇનું તા.30ના અવસાન થયું છે. બેસણું, સાસરા પક્ષની સાદડી તા.1ના 5થી 5-30 પોરબંદર લોહાણા મહાજન વંડીના પ્રાર્થના સભા હોલમાં છે.

રાજકોટ: વિજયાબેન કેશરીસિંહ પરમાર તે સ્વ. કેશરીસિંહ ગગજીભાઇ પરમારનાં પત્ની, ચંદ્રસિંહ, અશ્વિનસિંહ, હર્ષદસિંહનાં માતુશ્રી, મનિષસિંહ, રવિરાજસિંહ, રાહુલસિંહનાં દાદી, છત્રસિંહ, હરીસિંહ, નટવરસિંહનાં ભાભીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.2ના 4થી 6 કારડીયા રાજપૂત સમાજની વાડી, મવડી ચોકડી રાજકોટ  છે.

જામનગર: પોરબંદરવાળા રમણીકલાલ ગીરધરલાલ રાવલ (નિવૃત્ત આચાર્ય)(ઉ.90) તે ઉર્મિલાબેનના પતિ, તે સ્વ.જેઠાલાલ કાનજીભાઈ ભટ્ટ (જામનગર)ના જમાઈ, તે ઉપલેટાવાળા હરીકાંતભાઈના મોટાભાઈ, તે સંજયભાઈ (પત્રકાર), અજયભાઈ તથા નિલેશભાઈના પિતાનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ને સાંજે 5થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર ખાતે છે.

જામખંભાળિયા: ધીરજલાલ પ્રેમજીભાઈ કુંડલિયા (વડત્રાવારા)ના પુત્ર રમેશભાઈ (ઉ.65) તે સ્વ.અનિલભાઈ, પ્રફુલભાઈ, સ્વ.દિલીપભાઈ, મંજુબેન કિશોરભાઈ માણેકના મોટાભાઈ, તે બ્રિજેશભાઈ, હાર્દિકભાઈના પિતાશ્રી, તે હિતના દાદા, તે સ્વ.જેઠાલાલ પોપટલાલ મોદી (ખીજદળવાળા)ના જમાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ના 5થી 5-30, જલારામ મંદિરે, ભાઈઓ તથા બહેનો માટે, સસરા પક્ષની સાદડી સાથે છે.

પોરબંદર: લીલાવંતીબેન (ઉં.72) તે જેન્તીલાલ વલ્લભદાસ કોટેચાનાં પત્ની, તે પીયૂષભાઈ, સમીરભાઈનાં માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1ના 4-15થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: નિર્મલાબેન લલીતભાઈ ગોકાણી (ઉં.65) તે લલીતભાઈ મથુરાદાસ ગોકાણીનાં પત્ની , તે યોગેશ અને નીરજનાં માતુશ્રી અને બાબુભાઈ એચ.કાથરાણીના દીકરીનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સાંજે 5-30 વાગ્યે જામનગર રોડ, બજરંગવાડી, ફળેશ્વર મહાદેવ મંદિર, પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના મૂળ ઘોઘાવદર હાલ રાજકોટના સ્વ.જયસુખભાઈ જમનાદાસભાઈ રાજ્યગુરૂના પુત્ર સુધીરભાઈ તે સ્વ.જયશ્રીબેનના પતિ, તે નીકિતા, મીત રાજ્યગુરૂના પિતાશ્રી, તે નીતિનભાઈ, લલીતભાઈ, નરેન્દ્રભાઈ, પ્રદીપભાઈ તથા મહેશભાઈના ભાઈ, તે નિલેષભાઈ દલપતરાય જોષીના બનેવીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6, ઔદિચ્ય ઘેલારામજી વાડી, જયંત કે.જી.મેઇન રોડ, મવડી પ્લોટ, રાજકોટ છે.

બગસરા: ઈલાબેન આર.ઉપાધ્યાય (પાણેરી) એડવોકેટ નોટરી તે કમલેશભાઈ કે.પાણેરી (લેબ.ટેકનિશ્યન બગસરા)નાં પત્ની, તે તૃષિતભાઈનાં માતુશ્રી, તે સ્વ.જયેશભાઈ આર.ઉપાધ્યાય તથા નિલેશભાઈ (દુબઈ)નાં મોટા બહેનનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના 4થી 6, સમસ્ત બ્રહ્મ સમાજ વાડી, બગસરા છે.

રાજકોટ: કુંદણી નિવાસી હાલ રાજકોટ સ્વ.છોટાલાલ ટોકરશી દોશીનાં પુત્રવધૂ વનિતાબેન તે શશીકાંતભાઈ (ભીખુભાઈ)નાં પત્ની, તે સમીર, મૈત્રીબેન ઉદાણી તથા પારૂલબેન કોઠારીનાં માતુશ્રી, તે સ્વાતિબેન, સંજયભાઈ, હરેશભાઈનાં સાસુ, તે સ્થા.મોટા સંઘના દિનેશભાઈ દોશીનાં ભાભી, તે મોરબી નિવાસી સ્વ.અનંતરાય શામળદાસ કોઠારીનાં બહેન તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 9-30 કલાકે વિરાણી વાડી, કોઠારીયા નાકા, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક