• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

avsan nondh

બાંદરાના એજન્ટના ભાભીનું અવસાન

ગોંડલ: પુષ્પાબેન જેરામભાઈ ઠુંમર (ઉં.72) તે બાંદરાના એજન્ટ રમેશભાઈ ઠુંમરના ભાભી, તે દિપેનભાઈ, આશીષભાઈના માતૃશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, ગુરુકુળ સામે, રાજકોટ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

 

વાંકાનેર: ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ.કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્ની ઈન્દુમતીબેન (ઉ.80) તે ધર્મેન્દ્ર (રાજુભાઈ), લીનાબેન કૌશભાઈ પંડયા, હર્ષાબેન રવિન્દ્રકુમાર ભટ્ટ, લતાબેન શૈલેષકુમાર દવેના માતુશ્રી, તે સ્વ.મનહરલાલ અમૃતલાલ ત્રિવેદીના ભાભીનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.3ના સાંજે 5 થી 6, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ ચોક, વાંકાનેર છે.

ઉપલેટા: ભરતભાઈ નટવર ચોટાઈ (ઉ.58) તે સ્વ.વિનોદભાઈ, દીપકભાઈ, હરેશભાઈના નાનાભાઈ, તે પલાસના પિતાશ્રી, તે દિવ્યેશભાઈ અનિલભાઈ ગણાત્રાના સસરા, તે અમૃતલાલ ચંદારાણા લાંબાવાળા હાલ રાજકોટના જમાઈનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, નંદકિશોર પાન પાસે, પોરબંદર રોડ, નવી કોલેજ પાસે, ઉપલેટા છે.

ન્યારા: સ્વ.ભુરાભાઈ નથુભાઈ સોલંકીના પુત્ર અને સ્વ.નાનજીભાઈ, સ્વ.પ્રભુભાઈ, લાલજીભાઈના નાનાભાઈ મગનભાઈ ભુરાભાઈ સોલંકીનું તા.2ના ન્યારા ખાતે અવસાન થયું છે.

ગોંડલ: અશોકગીરી રામગીરી ગોસ્વામી (ગીરીબાપુ) (ઉ.64) તે નિકેશગીરીના પિતા, તે જીતેન્દ્રગીરી, પ્રફુલગીરી, જીતેશગીરી, ચંદ્રેશગીરી તથા મિતેશગીરીના મોટાભાઈનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5 થી 7 દશનામ ગોસ્વામી સમાજની વાડી, કોલેજ ચોક ખાતે છે.

રાજકોટ: તેજસ દિનેશભાઈ ટાંક (ઉ.44) તે સ્વ.દામજીભાઈ (વકીલ) ટાંકના પૌત્ર, તે સ્વ.દિનેશભાઈ (પા.પુ.બોર્ડ)ના પુત્ર, તે કાંતિભાઈ અરજણભાઈ વાધેલા (વિસાવદર)ના જમાઈનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5 થી 7, તેમના નિવાસ સ્થાને છે.

જૂનાગઢ: હંસાબેન (ઉ.75) તે જમનાદાસ ગોવિંદરામ ગોંડલીયાના પત્ની, તે કૌશિકભાઈ, રાકેશભાઈના માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, પ્લેટિનમ પાર્ક, મધુરમ, જૂનાગઢ છે.

રાજકોટ: ખાંટ રાજપૂત બચુભાઈ દેવશીભાઈ કંડોલીયા (ઉ.101) તે ભનુભાઈ, વલ્લભભાઈ, રાજેશભાઈના પિતાશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5 થી 7, વલ્લભભાઈ બચુભાઈ કંડોલીયા, આનંદનગર કોલોની, કાળા પથ્થરના ક્વાર્ટર નં.213, શુભમ સ્કુલ સામે, રાજકોટ છે.

જામનગર: જામનગર નિવાસી અને મુળ ખીમરાણા ગામના વતની જીગ્નેશભાઈ ધીરજલાલ ઈસલાણીયા (ઉ.45) તે સ્વ.ધીરજલાલ ગોકળભાઈના પુત્ર, તે સ્વ.કેશવલાલ, નરોત્તમભાઈ, ચંદુભાઈના ભત્રીજા, તે આશિષભાઈ અને માલતીબેન મુકેશકુમાર વડગામા, કિરણબેન પ્રકાશભાઈ વિરમગામાના ભાઈ, તે આરતી અને વિવાનના પિતા, તે પ્રાગજીભાઈ છગનભાઈ અંબાસણાના જમાઈનું અવસાન થયેલ છે. બેસણું તા.3ને શનિવારે ગોકુલનગર નજીક, મુરલીધર સોસાયટી શેરી નં.1માં આવેલ મુક્તેશ્વર મહાદેવના મંદિર ખાતે સાંજે 5 થી 6 દરમિયાન રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે છે.

જામનગર: સ્વ.વિઠ્ઠલદાસ પોપટના પુત્ર (ભાણવડવાળા) તથા સ્વ.તુલસીદાસ કલ્યાણજી ખાખરીયાના જમાઈ (મોટી વેરાવળ-લોહાણાવાળા) અને વિમલભાઈ, સંદીપભાઈ અને ડિમ્પલબેન ભાવેશભાઈ ખગ્રામના પિતાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

મીઠાપુર: મચ્છુ કઠીયા સઈ સુથાર મીઠાપુર નિવાસી ઉપેન્દ્રભાઈ ડાયાલાલ પીઠડીયા તે પ્રફુલાબેન પીઠડીયાના પતિ, તે સ્વ.જયંતીભાઈના નાનાભાઈ, તે સુરેશભાઈ, વિજયભાઈ, મુકેશભાઈ, જુનાગઢ નિવાસી રસીલાબેનના મોટાભાઈ, તે નિર્મળાબેન જેરામભાઈ પરમારના જમાઈનું તા.2ના અવસાન થયું છે.

 

રાજકોટ: મોઢ વણીક પ્રજ્ઞાબેન ચંદ્રકાન્તભાઈ બખાઈ (ઉ.77) તે સ્વ.ચંદ્રકાન્તભાઈ વિઠ્ઠલદાસ બખાઈના પત્ની, તે સુનીલ, વિપુલ, નીપા રાજેશ દેસાઈના માતુશ્રી, તે કિરીટભાઈના ભાભી, તે યશ, અભિષેક, દેવાંશી, રીચાના દાદી, તે સ્વ.હીરાચંદ વોરાના દીકરી, તે ઈશ્વરભાઈ, અશોકભાઈના બહેનનું તા.2ના અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા તા.3 જુને શનિવારે સવારે આઠ વાગ્યે તેમના નિવાસ સ્થાન, મોટી ટાંકી ચોક, ગોંડલ નાગરીક બેંકની બાજુમાંથી નીકળી રામનાથપરા સ્મશાન જશે.

રાજકોટ: સ્વ.ભુપેન્દ્રભાઈ નારણદાસ ચંદેના પત્ની ગીતાબેન (ઉ.72) તે પરાગભાઈ, ધવલભાઈના માતુશ્રી, તે સુભાષભાઈ, નવીનભાઈ, અશોકભાઈના ભાભી, તે સ્વ.પ્રભુદાસ ડી.કારીયા (શાપુર-સોરઠ)ની દીકરી, તે ભરતભાઈ કારીયાના બેનનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.3ના સાંજે 5-30 કલાકે, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, રાજકોટ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

વેરાવળ : શંકુતલાબેન બાબુરાવ પવાર (ઉં.76) (જી.એમ.બી.વાળા) તે રંજનબેન બી.પેંઢારકર (જી.એમ.બી.વાળા), ઉષાબેન, હર્ષાબેન, દિનાબેનના મોટાબેનનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની, વેરાવળ છે.

જૂનાગઢ : વાંઝા જયાબેન લીલાધરભાઈ ચૌહાણ (ઉં.73), બગસરાવાળા, હાલ જૂનાગઢ, તે સ્વ.લીલાધરભાઈ ડાયાભાઈ ચૌહાણના પત્ની, રાકેશભાઈ, રશ્મિબેન અજયભાઈ ગઢિયા (રાજકોટ), કૃપાલીબેન સુબોધભાઈ ચુડાસમા (પોરબંદર)ના માતુશ્રી, મનુભાઈ ડાયાભાઈ ચૌહાણના ભાભીનું તા.1ના અવસાન થયું છે.

રાજકોટ : સ્વ.નટવરલાલ જગજીવનદાસ મીઠાણી (શાહ) (સેન્ટ્રલ બેંક વાળા)ના પુત્ર મુકેશભાઈ તે સ્વ.કસબચંદ જગજીવભાઈ મહેતાના જમાઈ, શશીકાંત કસરચંદ મહેતાના બનેવી, લતાબેનના પતિ, પંકજભાઈ, સમીરભાઈ, રાજેશભાઈ, દીપકભાઈના મોટાભાઈ, ભાવનાબેન જશાણી, રેખાબેન ગાંધી, સુધાબેન ગૌસ્વામીના નાનાભાઈ, તપન, વલય, ઉજ્જળ, બીરાજના ભાયજીનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું તા.3ના સવારે 10થી 10.30 રોયલ પાર્ક ઉપાશ્રયમાં રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક