• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

હવે રાજકોટ, સુરત, વડોદરાથી પણ મહાકુંભ માટે એસટીની વોલ્વો બસ

            પ્રયાગરાજ મહાકુંભ માટે કાલથી  નવી 5 વોલ્વો બસ શરૂ કરાશે

અમદાવાદ, તા. 2 : ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. 04 ફેબ્રુઆરીથી નવી 05 વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે. અમદાવાદની માફક રાજકોટથી પણ મહાકુંભ માટે એસટીની વોલ્વો બસ શરૂ કરવા માગ ઉઠી હતી ત્યારે હવે સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને પણ આ બસનો લાભ મળશે.  સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ - મધ્ય પ્રદેશ બોર્ડર ખાતે કરવામાં આવશે જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી ખાતે કરવામાં આવશે. રાજ્યના શ્રદ્ધાળુઓનો પ્રયાગરાજ  મહાકુંભ માટેનો પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યું છે જ્યારે પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.

આ  સેવાઓનો લાભ લેવા શ્રદ્ધાળુઓ તા. 02 ફેબ્રુઆરીના રોજ એસ.ટી નિગમની વેબસાઇટ |||.લતાિભિં.શક્ષ પરથી સાંજે 05 વાગ્યા પછી  ઓનલાઇન બાકિંગ કરાવી શકશે. અત્રે ઉલેખ્ખનીય છે કે, તા.27મી જાન્યુઆરીથી ગુજરાત એસ.ટી નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 3 રાત્રિ - 4 દિવસનું પેકેજ બનાવી અમદાવાદથી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025