• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

મેટોડા : પરીક્ષાના પેપર સારા નહીં જતા ચિંતામાં કોલેજીયનનો આપઘાત

            મૃતક કોલેજમાં હોમીયોપેથીકનો અભ્યાસ કરતો હતો

રાજકોટ, તા.ર : મેટોડામાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનએ પરીક્ષામાં પેપર સારા નહી જતા ચિંતામાં ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા સૌરવ પ્રફુલ્લભાઈ પરમાર નામના કોલેજીયન યુવાને તેના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સૌરવ ગાર્ડી કોલેજમાં હોમીયોપેથીકનો અભ્યાસ કરતો હતો અને પરીક્ષામાં પેપર સારા નહી જતા તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. મૃતક સૌરવ બે ભાઈમાં મોટો હતો. આ બનાવના પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025