વીએચપી,
બજરંગદળ દ્વારા ઠેર-ઠેર આતંકવાદીઓના પૂતળાનું દહન
સર્જીકલ
સ્ટ્રઇક જેવા ગંભીર પગલા ભરવા માગ
સીમાડાની
રક્ષા માટે પોરબંદરના માજી સૈનિકો હથિયાર ઉપાડવા તૈયાર
અમદાવાદ,
તા. 23: જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ
કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ગુજરાતમાં પણ વીએચપી, બજરંગદળ દ્વારા કાશ્મીરમાં આંતકવાદી
હૂમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. પૂતળા દહન તેમજ દિવંગતોને શ્રદ્ધાસમુન અર્પવામાં આવી
રહ્યા છે.
અમદાવાદ
શહેરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વીએચપી અને બજરંગ દળના
કાર્યકારો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને પાલડી ચાર રસ્તા ખાતે કાર્યકર્તાઓએ વિરોધ
વ્યક્ત કર્યો છે. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળાનું દહન કરીને
વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. શહેરના કાળવા ચોક ખાતે આતંકીઓના પૂતળાનું દહન કરાયું
છે. રાજકોટમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સાવરકુંડલામાં વિએચપી,
બજરંગ દળ, ભાજપ, કોંગ્રેસ તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન
કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હતી.
જામખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીનું પૂતળા દહન કરી
ભારે સૂત્રોચાર સાથએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના સમસ્ત હિન્દુ સમાજ
અને રાષ્ટ્રીય અસ્મિતા મંચ દ્વારા સૂત્રોચ્ચાર અને આક્રોશ વ્યકત કરી પૂતળા દહન કરવામાં
આવ્યું હતું. મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડિયાએ આ ઘટનાને વખોડી કાઢી હતી.
તેમજ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આકરી નિંદ કરી જિલ્લા કલેક્ટરને આવેનપત્ર પાઠવ્યું
હતું. તેમજ પોરબંદરમાં વીર સાજી સૈનિક સંગઠન
દ્વારા શ્રધ્ધા લમુન અર્પણ કરવાની સાથોસાથ હાથમાં હથિયાર ઉઠાવવાની તૈયારી બતાવીને સીમાડીની
રક્ષા કરવા તૈયારી બતાવી છે. અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એક
બેઠક મળી હતી. જેમાં આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી, તેમજ મરહુમોની આત્માની શાંતિ
માટે દુવા કરવામાં આવી હતી. તથા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં
આવી હતી. જ્યારે બોટાદમાં દિનદયાળ ચોક ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા
પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ કમિટી
દ્વારા આ બનાવ અંગે દુખદ વ્યક્ત કરી વખોડયો હતો તથા મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત
કરી હતી.
સંગઠનના
કાર્યકરોએ ઠેર-ઠેર પ્રદર્શન કર્યુ છે અને આતંકવાદીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની માગ
કરી છે અને જો સરકાર કાર્યવાહી ના કરે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી
છે.