• ગુરુવાર, 19 જૂન, 2025

ભરૂચ ઇઅઙજ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર શખસ રેલવે સ્ટેશન પાસેથી ઝડપાયો

પોલીસ ટીમોએ મંદિરે એન્ટી સબોર્ટેજની કાર્યવાહી કરતા બોમ્બ સંબંધી કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળતા હાશકારો

બન્ને ભાઈઓ અને બનેવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવવા તસ્કટ રચ્યું હતું

વડોદરા, તા.15 : પહલગામ આતંકી હુમલા બાદ દેશના સૈન્યએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ હાલ સમગ્ર દેશના ધાર્મિક સ્થાનો એલર્ટ પર છે ત્યાં ભરૂચના બીએપીએસ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને એસઓજી સહિતની ટીમ એક્શનમાં આવી હતી. દરમિયાન ધમકી આપનાર શખસ ભરુચ રેલ્વે સ્ટેશન પાસે હોવાની બાતમીના આધારે શખસને ઝડપી લીધો હતો.

ભારત અને પાકીસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ ભરૂચ જિલ્લાનું પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતું. દરમિયાન ભરૂચ સી ડિવિઝન પીઆઈ એ.વી.પાણમીયાને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડીઝાસ્ટર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે, એક ઈસમે મોબાઈલ ફોનથી સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાત્રીના એકથી બે વાગ્યાના સમય દરમિયાન 4 વ્યક્તિ ઝાડેશ્વર ખાતે આવેલા બીએપીએસ મંદીરને બોમ્બથી ઉડાવી દેવાના છે. બૉમ્બ બ્લાસ્ટથી મંદિર ઉડાવી દેવાના ધમકી ભર્યા કોલને લઈ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી અને સી ડિવિઝન પીઆઈ એ.વી.પાણમીયાના માર્ગદર્શન હેઠળ બન્ને પોલીસ મથકનો સ્ટાફ સર્વેલન્સ સાથે બોમ્બ સ્કોડને લઈ સ્વામીનારાયણ મંદિરે પોહચી હતી. સાથે જ કોલ કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી દેવાય હતી અને મંદિરને બૉમ્બથી ઉડાવવાનો કોલ કરનાર વ્યક્તિ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા ત્યાંથી તેને પકડી લેવાયો હતો. પોલીસ ટીમોએ મંદિરે એંટી સબોર્ટેજની કાર્યવાહી કરતા બોમ્બ સબંધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી. આરોપી તોસીફ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોલ કરનાર શખસ શહેરના જંબુસર બાયપાસ પર સફારી પાર્કમાં રહેતો તોસીફ આદમ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. તેની પૂછપરછમાં આરોપીના બંને ભાઈઓ તેને મિલ્કતમાં ભાગ આપતા નહોતા અને તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોવાથી મંદિરને બોમ્બથી ઉડાવવાનું તરક્ત રચ્યું હોવાની કબૂલાત કરી હતી. બન્ને ભાઈઓ અને બનેવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવવા તોસીફે પોતાના મોબાઈલ પરથી ભરૂચ કંટ્રોલ રૂમમાં રાત્રીના એકથી બે વાગ્યાના સમય ગાળા દરમિયાન સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ કર્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક