• બુધવાર, 21 મે, 2025

પદ્મિનીબા વાળા અને તેની ટોળકીનો ભોગ બન્યા છો? તો ગોંડલ પોલીસનો સંપર્ક કરો

ગોંડલ બિ. ડિવિઝન પોલીસે નંબર જાહેર કર્યા

ગોંડલ, તા.25: ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેની ટોળકીનો ભોગ બનનારની વ્હારે પોલીસ આવી છે અને ગોંડલ બિ. ડિવિઝન પોલીસે બે નંબર જાહેર કરી હનીટ્રેપ કે ફસાવવાનો પ્રયાસ કરી રૂપિયા પડાવ્યાં હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હીમકરાસિંહ, ડીવાયએસપી કે.જી.ઝાલાએ હનીટ્રેપ જેવા ગુના બનતા તાત્કાલિક અસરથી અટકાવવા તથા ભોગબનનારને ત્વરીત ન્યાય અપાવવા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ગોંડલ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી પદમીનીબા ગિરિરાજાસિંહ વાળા, તેનો પુત્ર સત્યજીતાસિંહ ગિરિરાજાસિંહ વાળા, શ્યામ સંજય રાયચુરા, હીરેન હીતેશ દેવળીયા અને તેજલબેન વિનોદ છૈયા એ ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી દવા પી જવાની ધમકી આપી ફરિયાદી પાસેથી સાત આઠ લાખની માગણી કરતો ગુનો આચરેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાબતે જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ આ આરોપીઓનો ભોગ બન્યા હોય કે હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી તો ગોંડલ સીટી બી.ડિવિઝન પોલીસનો સંપર્ક કરશો અથવા પીઆઈ જે.પી. ગોસાઈ (63596 25707)નો સંપર્ક કરવા અપીલ કરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક