• બુધવાર, 21 મે, 2025

ભાવનગરના ખેડૂતવાસમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

આરોપીઓ હત્યા કરી નાસી છુટ્યા

ભાવનગર, તા.9: ભાવનગર શહેરના ખેડૂતવાસ  વિસ્તારમાં યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર વિસ્તારમાં આવેલી મચ્છી બજારમાં ગત મોડી સાંજે વિશાલ બુધાભાઈ વાજા ઉ.વ. 27 ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી પોલીસ, ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. જાણવા મળતી વિગતો મુજબ પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓ હત્યા કરી નાસી છુટ્યા હતા. આરોપીઓ પૈકી એક મળનારનો મિત્ર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક