વાલીઓએ ચેતવા જેવો કિસ્સો : ધો.10માં આવતા અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રએ ભર્યું પગલું
માળિયા હાટીના, તા.16: માળિયા
હાટીનામાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ધો.10માં આવેલા પુત્રને માતા-િપતાએ
અભ્યાસમાં ધ્યાન આપવા કહેતા પુત્રએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી. આ બાબતથી
અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માળિયા
હાટીનામાં કૈલાશપાર્ક વિસ્તારમાં રહેતા અને બસસ્ટેન્ડ પાસે કટલેરીની કેબીન ધરાવતા અરાવિંદભાઈ
વિરજીભાઈ ગોરાસાનો મોટો પુત્ર હર્ષ ધો.9માંથી 10માં આવ્યો હતો. બોર્ડમાં આવતા તેના
માતા-િપતાએ અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું લાગી આવતા હર્ષે
પોતાના ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે જાણ થતા આસપાસના લોકો અને
પરિવારના સભ્યો હર્ષને સારવારમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે હર્ષને મૃત જાહેર
કર્યો હતો. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડિયાતરે જણાવ્યું
હતું કે, બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેના પર દબાણ ન કરવું જોઈએ.