જામનગર તા.19: જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના એક યુવાનનું કોઈ શખસ દ્વારા પ્રેમ પ્રકરણના કારણે ગત 7મી તારીખે અપહરણ કરાયું હતું. અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો અને ત્યાં જ ફેંકી દેવાયો હતો. 12 દિવસથી યુવાન સારવાર મેળવી રહ્યો હતો અને બેશુદ્ધ અવસ્થામાં હતો. દરમિયાન આજે તેની તબિયત લથડતાં મૃત્યુ નીપજયું છે અને આ બનાવ હત્યામાં પલટાયો છે. જેથી ભારે ચકચાર મચી ગઇ છે.
જી.જી. હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો
હાજર હતા અને ભારે દેકારો બોલી ગયો હતો. એક તબક્કે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો
ઇનકાર કરતાં ભારે હલચલ મચી ગઈ હતી. બ્રહ્મ સમાજના અન્ય અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં
દોડી ગયા હતા. આ બનાવ મામલે અગાઉ મૃતક યુવાન કે જે પોતાની પ્રેમિકા ક્રિષ્નાબેન કેશવાલા
સાથે લિવ એન્ડ રિલેશનશીપમાં રહેતા હતા, અને આશિષ અસ્વાર કે જેને કેટલાક લોકો ઉઠાવી
ગયા હતા, અને માર મારીને ફેંકી દીધો હતો. દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ નીપજતાં
આ બનાવ હત્યામાં પલટાયો છે, અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.