• બુધવાર, 21 મે, 2025

બારામુલામાં બે આતંકી ઠાર

શ્રીનગર, તા. 23 : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના એક દિવસ બાદ પણ આતંકીઓની ઘૂસણખોરીની કોશિશ ચાલી રહી છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઢેર કર્યા છે. અહેવાલ અનુસાર બુધવારે સવારે બે ત્રણ આતંકી બારામુલા મારફતે દેશમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટના બાદ સૈનિકો તાકીદે એલર્ટ મોડમાં આવી ગયા હતા  અને ઓપરેશન શરૂ કર્યું હતું. ઠાર થયેલા આતંકીઓ પાસેથી બે રાઈફલ સહિત ભારે માત્રામાં હથિયાર અને સામાન મળી આવ્યો હતો. જેમાં પાકિસ્તાની ચલણ પણ સામેલ છે.

કુલગામમાં ટીઆરએફનો ટોપ આતંકી ઘેરાયો : એન્કાઉન્ટર શરૂ

શ્રીનગર, તા. 23 : જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલાને અંજામ આપનારા ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ)ના આતંકવાદીઓ ઉપર કહેર તુટી પડવાનો છે. સેનાએ કુલગામમાં ટીઆરએફના એક ટોપ આતંકીને બુધવારે સાંજ આસપાસ ઘેરી લીધો હતો. દક્ષિણ આફ્રિકી જીલ્લાના તંગમર્ગ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બન્ને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો. ટીઆરએફ પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબા સાથે સંલગ્ન આતંકી સંગઠન છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025