• સોમવાર, 10 નવેમ્બર, 2025

જનનાયક પદની ચોરી, બિહારીઓ સાવધાન : મોદી

યુવા સંવાદમાં રાહુલ ગાંધી અને આરજેડી પર નિશાનો સાધતાં વડાપ્રધાન

નવી દિલ્હી, તા.4 : દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પીએમ સેતુ યોજના અને આઈટીઆઈ દીક્ષાંત સમારોહના શુભારંભ પ્રસંગે યોજાયેલા યુવા સંવાદમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને બિહારની લાલુ-રાબડી સરકાર પર નિશાનો સાધ્યો અને કહ્યું હતું કે ભારત રત્ન કર્પુરી ઠાકુરનું લોકોના નેતા તરીકેનું બિરુદ ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિહારના લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

તાજેતરમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને બોલાવ્યા હતા, જ્યારે પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે તેજસ્વી યાદવને લોકોના નેતા કહ્યા હતા. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીને લોકોના નેતા ગણાવતી એક પોસ્ટ કરવામાં આવી હતી.

પીએમએ કહ્યું હતું કે કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં બિહારને એક નવી કૌશલ્ય યુનિવર્સિટી મળી છે. નીતિશ કુમારની સરકારે આ યુનિવર્સિટીનું નામ ભારત રત્ન કર્પુરી ઠાકુરના નામ પર રાખ્યું છે. હું બિહારના લોકોને સતર્ક રહેવા વિનંતી કરવા માગુ છું. લોકોના નેતાનું આ બિરુદ કર્પુરી ઠાકુરને લાયક છે. બિહારના લોકોએ તેમની સિદ્ધિઓને માન આપીને તેમને આ સન્માન આપ્યું હતું. આજકાલ કેટલાક લોકો લોકોના નેતાનું બિરુદ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી હું બિહારના લોકોને સતર્ક રહેવા વિનંતી કરું છું. લોકો દ્વારા આપણા કર્પૂરી ઠાકુર સાહેબને મળેલો આદર ચોરી ન જાય.

પટણામાં લાલૂના બંગલે હંગામો, નારેબાજી

ચોર ધારાસભ્ય નથી જોઈતા...સતીશ કુમારને ટિકિટ ન આપવા માગ

પટણા તા.4 : બિહારમાં શનિવારે લાલુ અને રાબડીના નિવાસ સ્થાનની અંદર ઘૂસીને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે ભારે હંગામો મચાવ્યો હતો. મખદુમપુર વિધાનસભા મતવિસ્તારમાંથી આરજેડી ધારાસભ્ય સતીશ કુમાર સામે વિરોધ વ્યકત કરવા પટણામાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાને ટોળું ઘૂસી ગયુ અને માંગ કરી કે ધારાસભ્યને ફરીથી ઉમેદવાર ન બનાવવામાં આવે. તેમણે સૂત્રોચ્ચાર કર્યા, અમને ચોર ધારાસભ્ય નથી જોઈતા, અમે સતીશ કુમારને હરાવવા માંગીએ છીએ.

મખદુમપુર વિધાનસભા મતવિસ્તારના અનેક લોકો અચાનક લાલુ અને રાબડી દેવીના નિવાસસ્થાને ઘૂસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્ય સતીશ કુમારે વિસ્તારમાં કોઈ વિકાસ કાર્ય કર્યું નથી અને જનતાની સમસ્યાઓને અવગણી છે. તેથી તેમને ફરીથી ઉમેદવાર ન બનાવવા જોઈએ. જો આરજેડી સતીશ કુમારને ટિકિટ આપશે, તો જનતા તેનો વિરોધ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025