ખાવા-પીવાની ચીજો
સસ્તી
થતાં બિશ 0.50 ટકા ઘટાડો કરી શકે
મુંબઈ,
તા. 5 : ખાવા-પીવાની વસ્તુઓના ભાવો ઘટવા સાથે જીએસટીમાં ઘટાડાની અસરથી મોંઘવારી સતત
નરમ રહેવા માંડી છે, એ જોતાં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) રેપોદરમાં 0.25થી 0.50 ટકા
સુધી ઘટાડાનું એલાન કરી શકે છે.
વર્તમાન
સ્થિતિ ધ્યાને લેતાં આર્થિક વિકાસને પીઠબળ પૂરું પાડવા રિઝર્વ બેન્કને આર્થિક નીતિ
ઉદાર બનાવવાનો મોકો મળ્યો છે.
એક
અહેવાલ અનુસાર, ટેરિફ જેવા પડકારો છતાં ઘટતી મોંઘવારી, આર્થિક ગતિવિધિઓની ગતિ વધારવા
માટે વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા છે.
ખાવા-પીવાની
વસ્તુઓ સસ્તી થતાં છૂટક મોંઘવારીદર સપ્ટેમ્બર મહિનામાં ઘટી જઈને 1.54 ટકા પર આવી ગયો
હતો.