• બુધવાર, 21 મે, 2025

અસ્થિર બેટિંગને લીધે 5 મેચમાં હાર મળી KKR કપ્તાન રહાણે ટીમના દેખાવથી હતાશ

ટીમના બેટધરો આત્મવિશ્વાસ ખોઈ ચૂક્યા છે: મેન્ટોર બ્રાવો

કોલકતા, તા.22:  ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધની 39 રનની કારમી હાર બાદ કોલકતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંકયા રહાણેએ કહ્યંy કે તેને બોલરોથી કોઇ ફરિયાદ નથી, ટીમની અસ્થિર બેટિંગને લીધે આઠ મેચમાં આ પાંચમી હાર મળી છે. જયારે કેકેઆરના મેન્ટોર ડવેન બ્રાવોએ તેથી વધુ કઠોર ભાષાનો ઉપયોગ કરીને કહ્યંy કે વર્તમાન ચેમ્પિયન ટીમ આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી છે. ગઇકાલના મેચમાં ગુજરાત ટાઇટન્સે 3 વિકેટે 198 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કોલકતા 8 વિકેટે 1પ9 રને અટકી ગયું હતું.

મેચ પછી કેકેઆર કપ્તાન રહાણેએ કહ્યંy કે આ પિચ પર 199 રનનું વિજય લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ હતું. જયારે તમે 199 રનનો પીછો કરતા હો ત્યારે સારી શરૂઆત જરૂરી બને છે. જે અમારી પૂરી ટૂર્નામેન્ટમાં સમસ્યા રહી છે. અમે સારી બોલિંગ કરી, પણ બેટિંગમાં ચૂકી ગયા. અમારે જલ્દીથી શિખવું પડશે અને આગળ વધવું પડશે.

જયારે મેન્ટોર બ્રાવોને આંદ્રે રસેલની નિષ્ફળતા (6 ઇનિંગમાં પપ રન) વિશે સવાલ થયો ત્યારે તેણે કહ્યંy ફક્ત રસેલ જ નહીં, પૂરી બેટિંગ લાઇનઅપ સંધર્ષ કરી રહી છે. અમે એક ટીમના રૂપમાં સારી બેટિંગ કરી નથી. આઇપીએલ એવી ટૂર્નામેન્ટ છે કે ખરાબ શરૂઆતથી આપ આત્મવિશ્વાસ ગુમાવી દ્યો છો. જયારે રસેલ બેટિંગમાં આવે છે ત્યારે પ્રતિ ઓવર 14-1પ રનની જરૂર હોય છે. અસલી કામ ઉપરના ક્રમના બેટધરોનું છે. જે હાલ કરી રહ્યા નથી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025