• બુધવાર, 21 મે, 2025

ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી : ચિયરલીડર્સ નહીં અને આતશબાજી પણ બંધ રહી

હૈદરાબાદ, તા.23: સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેના આજના આઇપીએલ મેચ દરમિયાન પહેલગામ આતંકી હુમલાના પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરાયો હતો. બન્ને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યાં હતા. મેચની અગાઉ ખેલાડીઓએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત મેચ દરમિયાન ચિયરલીડર્સ જોવા મળી ન હતી.

ચોક્કા-છક્કાની વિકેટની ઉજવણી વખતે થતાં સંગીતનો ઉપયોગ કરાયો ન હતો અને આતશબાજી પણ બંધ રખાઇ હતી. બીસીસીઆઇએ જાહેર કર્યું કે આજના મેચનું આયોજન સાદગીથી કરવામાં આવશે અને કોઇ પણ પ્રકારની ઝાકઝમાળ થશે નહીં.

બીસીસીઆઇએ પહેલગામ આતંકી ઘટના આકરી ટીકા કરી હતી અને માનવતા વિરોધી કાયર પગલું ગણાવ્યું હતું. આ ઉપરાંત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિરાટ કોહલી સહિતના ઘણા ખેલાડીઓએ આતંકી હુમલામાં માર્યાં ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025