• બુધવાર, 21 મે, 2025

icc ટૂર્નામેન્ટમાં ભારતના ગ્રુપમાં પાક. ટીમ નહીં ફેન કોડ દ્વારા pslનું પ્રસારણ અટકાવાયું

નવી દિલ્હી, તા.24: પહલગામ આતંકી હુમલા બાદ પૂરા ભારત દેશમાં પાકિસ્તાનના નાપાક કૃત્યથી ગુસ્સાનો માહોલ છે. મોદી સરકાર દ્રારા કઠિન રાજદ્રારી પગલાં લેવાનું શરૂ થયું છે. આ દરમિયાન બીસીસીઆઇએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનં ભીંસમાં લેવાનં શરૂ કરી દીધું છે. બીસીસીઆઇએ ગઇકાલે જ સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે પાકિસ્તાની ક્રિકેટ શ્રેણી હવે સંભવ નથી. હવે આજે બીસીસીઆઇએ આઇસીસીને જણાવી દીધું છે કે વર્લ્ડ કપ જેવી કોઇ પણ ટૂર્નામેન્ટમાં પાક. ટીમને ટીમ ઇન્ડિયા સાથેના ગ્રુપમાં સામેલ કરવામાં ન આવે. તેની સાથેના ક્રિકેટ સંબંધ સમાપ્ત થયા છે.

બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ લીગ (પીએસએલ) પણ ભીંસમાં મુકાઇ છે કારણ કે સ્પોર્ટસ બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મ ફેન કોડ દ્વારા પહલગામ આતંકી હુમલાના વિરોધમાં પીએલએસનું લાઇવ સ્ટ્રીગિ અટકાવી દીધું છે. આ નિર્ણયની પીએસએલ ડિજીટલ દર્શકોની સંખ્યામાં મોટો ઘટાડો થઇ જશે. જેની અસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આવક પર પણ થશે.

ક્રિકેટ ગેમિંગ એપ ડ્રીમ-11ને પણ પીએએસ મેચની પસંદની ઇલેવન બનાવવાનું પ્લેટફોર્મ હટાવી દીધું છે. પીએસએલનો પ્રારંભ 11 એપ્રિલથી થયો છે અને ફાઇનલ મેચ 18 મેના રમાવાનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025