નવી દિલ્હી, તા.24: કાશ્મીરના પહલગામની આતંકી ઘટના પછી પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમે ભારત પ્રવાસે આવવાની ના પાડી દીધી છે. અરશદ નદીમને ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરાએ બેંગ્લુરુ ખાતે આયોજિત કલાસિક જ્વેલિયન ઇવેન્ટમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. જેનું આયોજન 24 મેના થયું છે. પોતાની સફાઇમાં નદીમ કહે છે કે એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત હોવાથી ભારતમાં યોજાનારી ઇન્ટરનેશનલ જવેલિયન થ્રો સ્પર્ધાનો હિસ્સો બની શકશે નહીં. એશિયન ચેમ્પિયનશિપ દ. કોરિયામાં 27થી 31 મે દરમિયાન આયોજિત થઇ છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે કલાસિક ઇવેન્ટ માટે વિશ્વના ટોચના એથ્લેટ ભારત આવી રહ્યા છે.
આ લિસ્ટમાં નિરજ ચોપરા તો છે જ. તે સિવાય ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ, કેન્યાનો જૂલિયસ
યેગો, અમેરિકાનો કર્ટિસ થોમ્પસન અને મસ રોલર જેવા ખેલાડી સામેલ છે. આ ભાલા ફેંક સ્પર્ધા
સાથે નિરજ ચોપરાનું નામ જોડવામાં આવ્યું છે.