• બુધવાર, 21 મે, 2025

ટીમ ઇન્ડિયાનો બાંગલાદેશ પ્રવાસ લગભગ રદ થશે એશિયા કપ પણ મુલતવી રહેશે

નવી દિલ્હી તા.9: ભારત-પાકિસ્તાન વચ્ચેની યુધ્ધની સ્થિતિને લીધે આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત થયું છે. જો કે બીસીસીઆઇ માટે એક સપ્તાહ પછી કે બન્ને દેશ વચ્ચેની તનાવની સ્થિતિ ઓછી થયા પછી આઇપીએલનો નવો શેડયૂલ તૈયાર કરવો ઘણો મુશ્કેલ છે. આ માટે એવી વિન્ડો શોધવી પડશે કે તે દરમિયાન મોટાભાગના ખેલાડીઓએ ઉપલબ્ધ હોય.

બીસીસીઆઇના સૂત્રમાંથી જાણવા મળે છે કે ભારતીય ટીમનો આગામી બાંગલાદેશ પ્રવાસ રદ થશે. જે ઓગસ્ટમાં કરવાનો છે. આ દરમિયાન આઇપીએલના બાકી રહેતા 16 મેચનું આયોજન થઇ શકે છે. જયારે સપ્ટેમ્બરમાં એશિયા કપ રમવાનો છે. જેમાં પાક. ટીમ સામેલ હશે. આથી બીસીસીઆઇ એશિયા કપનો આ વખતે હિસ્સો બનાવવાના મૂડમાં નથી. જે સપ્ટેમ્બરમાં રમાવાનો છે. આ સમયગાળાનો ઉપયોગ આઇપીએલના બાકીના મેચો માટે થઇ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025