વિન્ડિઝ અને આફ્રિકા સામેના ટેસ્ટ મેચના સ્થળમાં પણ ફેરફાર
રાજકોટ/મુંબઇ, તા.9: ભારત અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચેના ત્રણ
વન ડેની શ્રેણી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર નવેમ્બર મધ્યે રમાશે. અગાઉ આ વન ડે
શ્રેણી બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાની હતી. હવે બીસીસીઆઇએ આજે
સ્થળ ફેરફાર કરી આફ્રિકા-ભારતની એ ટીમ વચ્ચેની આ ત્રણ મેચની વન ડે શ્રેણી રાજકોટમાં
રમાશે તેવું જાહેર કર્યું છે. બેંગ્લુરુમાં મહિલા વિશ્વ કપના લીગ મેચ અને ફાઇનલ રમાવાનો
છે. રાજકોટમાં ભારત-આફ્રિકા એ ટીમ વચ્ચેના ત્રણ વન ડે મેચ 13, 16 અને 19 નવેમ્બરે રમાશે.
આ ત્રણેય મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી મળશે.
બીસીસીઆઇએ
જાહેર કર્યું છે કે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ હવે
કોલકતાના બદલે દિલ્હી ખાતે રમાશે. જ્યારે ભારત-આફ્રિકા વચ્ચેનો પહેલો ટેસ્ટ દિલ્હીના
બદલે કોલકતા ખાતે રમાશે. આ મેચનું આયોજન 14થી 18 નવેમ્બર દરમિયાન થયું છે.
બીસીસીઆઇએ
આ ફેરફાર આવતા વર્ષે રમાનાર ટી-20 વિશ્વ કપ અને આ વર્ષે રમાનાર મહિલા વન ડે વિશ્વ કપની
તૈયારીને ધ્યાને રાખીને કર્યાં છે.