મંત્રી બિટ્ટુ પણ હિટલિસ્ટમાં: વોટસએપ ચેટ લીક થતાં પંજાબ પોલીસ એલર્ટ: બેની ધરપકડ
નવી
દિલ્હી, તા.22 : પંજાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. પંજાબ પોલીસે દાવો કર્યો હતો કે ખાલિસ્તાન
સમર્થક અને સાંસદ અમૃતપાલના ટેકેદારો આની તૈયારી કરી રહ્યા છે. કાવતરાનો પર્દાફાશ એક
વોટ્સએપ ગ્રુપની ચેટ લીક થવાની થયો હતો. પોલીસે કહ્યું કે આ વોટસએપ ગ્રુપ ‘વારિસ પંજાબ
દે’ અને ‘અકાલી દલ મોગા જત્થેબંદી’ના નામથી બન્યાં હતાં. હત્યાનાં હીટલિસ્ટમાં કેન્દ્રીય
રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુ અને વરિષ્ઠ અકાલી નેતા અને પૂર્વ મંત્રી વિક્રમસિંહ મજીઠિયાના
નામ પણ હતાં. અમૃતપાલના સમર્થકો તેના પર રાષ્ટ્રીય
સુરક્ષા કાયદો (એનએસએ)ની મુદ્ત વધારવાથી ગુસ્સામા હતા. આ જ કારણથી ખડૂર સાહિબથી સાંસદ
અમૃતપાલને આસામની ડિબ્રુગઢની જેલમાં રાખવામાં આવ્યો છે. હત્યાના કાવતરાંનો પર્દાફાશ
થયા પછી સક્રિય બનેલી પોલીસે અમૃતપાલના 25થી 30 સમર્થક સામે એફઆઈઆર નોંધી હતી અને બે
સમર્થકની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપી
લુધિયાણાના ખન્નાના ન્યૂ મોડેલ ટાઉનનો બલકારસિંહ
અને બીજો મોગાનો સગીર છે. આ તમામ હત્યાના કાવતરાંવાળા ગ્રુપથી જોડાયેલા હતા. મોગા રેન્જના
ડીઆઈજી અશ્વની કપૂરે કહ્યું કે તમામ આરોપી ટૂંક સમયમાં પકડાઈ જશે. પંજાબ પોલીસના દાવા
મુજબ જે ચેટ લીક થઈ તેમાં મુખ્ય રીતે ત્રણ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.