3ના
સ્કેચ જાહેર, ટીઆરએફએ લીધી જવાબદારી, પાકિસ્તાનમાંથી પહાડોના રસ્તે આતંકીઓની ઘૂસણખોરી
: આતંકીઓ માથે 20 લાખનું ઈનામ જાહેર
કેન્દ્ર,
તપાસ એજન્સીઓ, સુરક્ષા દળો એકશન મોડમાં
શ્રીનગર/નવી
દિલ્હી તા.ર3 : પહેલગામમાં બર્બર આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયાના
ર4 કલાક બાદ કેન્દ્ર સરકાર અને એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓ તથા સુરક્ષા દળો આતંકીઓ પર
પ્રહાર માટે એકશન મોડમાં છે. ગૃહમંત્રી શાહે આજે કાશ્મીરમાં હુમલા સ્થળની મુલાકાત લઈ,
ઘાટીનું હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી છે.
બુધવારે
સુરક્ષા એજન્સીઓએ ગુપ્તચર ઈનપુટ તથા પ્રત્યક્ષદર્શીઓએ આપેલી માહિતીને આધારે ત્રણ આતંકીના
સ્કેચ જાહેર કર્યા હતા જે હુમલામાં સામેલ હોવાની આશંકા છે. આતંકી સંગઠન લશ્કરે તોઈબાની
એક પાંખ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હુમલાની જવાબદારી લીધી છે. જેને પાક. એજન્સી
આઈએસઆઈનું સમર્થન છે તથા લશ્કરે તોઈબાના સંસ્થાપક અને ર6/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ
હાફિઝ સઈદનું પ્રોકસી છે.
ગુપ્તચર
સૂત્રો અનુસાર પહેલગાવ હુમલામાં બે વિદેશી આતંકી અને બે સ્થાનિક આતંકી સામેલ હતા. કુલ
7 આતંકી હોઈ શકે જેમાંથી 4એ હુમલો કર્યો હતો. હુમલામાં સામેલ આતંકીની ઓળખ આદિલ ગુરી,
અબુ મૂસા, આસિફ શેખ તરીકે થઈ છે. બે પાકિસ્તાની આતંકી પશ્તુન મૂળના હતા. હુમલાનો માસ્ટરમાઈન્ડ
સૈફુલ્લાહ ખાલિદ છે જે પીઓકેમાં છૂપાયેલો છે. તેનું છેલ્લુ લોકેશન રાવલકોટ હતુ. તેણે
એક મહિના પહેલા હુમલાની ચેતવણી આપી હતી. હુમલાખોરો પીર પંજાલ રુટનો ઉપયોગ કરીને બે
સપ્તાહ પહેલા પાકિસ્તાનથી કાશ્મીરમાં ઘૂસ્યા હતા.
સૂત્રો
અનુસાર એવી આશંકા છે કે હુમલાના 16 દિવસ પહેલા આતંકીઓએ સ્થળની રેકી કરી હતી. 1 થી
7 એપ્રિલ વચ્ચે તે બૈસારન આવ્યા હતા. પહેલગામના પહાડો ઉપર હિમવર્ષાની આડમાં તેઓ ઘૂસી
ગયા હતા. એક સ્થાનિક આતંકીએ તેમના માટે ગાઈડની ભૂમિકા ભજવી હતી. 18 એપ્રિલે રાવલકોટમાં
યોજાયેલી એક રેલીમાં મૂસાએ કહયું હતુ કે જેહાદ જારી રહેશે, બંદૂકો બોલશે અને કાશ્મીરમાં
માથા કલમ કરવાનું ચાલુ રહેશે. ભારત બિન સ્થાનિકોને નિવાસનું પ્રમાણ પત્ર આપીને કાશ્મીરની
જનસંખ્યામાં બદલાવ લાવવા ઈચ્છ ઁછે.