પહેલગામ
આતંકવાદી હુમલામાં ભાવનગરના મૃત્યુ પામેલા પિતા-પુત્રની આજે અંતિમયાત્રા: રાજકોટના 13 સહિત ગુજરાતના અનેક પ્રવાસીઓ શ્રીનગર-કટારામાં
ફસાયાં
કાશ્મીર
પ્રવાસના બુકિંગ ધડાધડ રદ : ઘાટીમાં ફસાયેલા પોતાના પરિવારજનોને સરકાર સહીસલામત ઘરે
પહોંચાડે તેવી સહુ કોઇની અપીલ
રાજકોટ
તા.23 : પહેલગામની બરફાચ્છાદિત બૈસરન ઘાટીના સોંદર્યને આતંકી હુમલાએ ભયમાં પરિવર્તિત
કરી નાખ્યું છે. મંગળવારનો દિવસ અહીં પ્રવાસાર્થે આવેલા પ્રવાસીઓ માટે અમંગળ રહ્યો
હતો જેમાં આંતકવાદીઓએ ધર્મ પુછીને કરેલા ગોળીબારમાં કરેલા ગોળીબારમાં 25થી વધુ પ્રવાસીઓના
મૃત્યુ નિપજ્યાં હતાં. આ હુમલામાં 3 ગુજરાતીઓના મૃત્યુ પણ થયાં છે જેમાં ભાવનગરના પિતા-પુત્ર
પણ શામેલ છે, આ કરુણાંતિકાએ પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પહોચાડયો છે. કાશ્મીર પ્રવાસના
બુકિંગ ધડાધડ રદ્દ થઈ રહ્યાં છે. સ્વર્ગમાં જાણે સન્નાટો છવાઈ ગયો છે. રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી
60 ટકાથી વધુ પ્રવાસીઓએ કાશ્મીર જવાનું માંડી વાળ્યું છે. જો કે, હજુ પણ રાજકોટના
13 સહિત ગુજરાતના અનેક પ્રવાસીઓ શ્રીનગર-કટરામાં ફસાયાં છે. જેઓના પરિવારજનો એક વાતનું
રટણ કરી રહ્યાં છે કે, તેઓને સહીસલામત ઘરે પહોચાડવા સરકાર મદદ કરે.જેઓએ આતંકી હુમલામાં
પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ મોતના તાંડવની એ ઘડીઓ જ્યારે વર્ણવે છે ત્યારે ભલભલાનું
હૃદય દ્રવી ઉઠે છે.
કાશ્મીરમાં
આતંકી ઘટના બની તે સ્થળે ર5 જેટલા ગુજરાતીઓ
ગયા હતા ફરવા
પ્રવાસીઓને
મુંબઇથી ગુજરાત ખાતે લાવવા રાજય સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદ,
તા.23: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના
પહેલગામ ખાતે ગઇકાલે તા.22 એપ્રિલ 2025ના રોજ જ્યાં આતંકવાદી હુમલાની ઘટના બની હતી,
તે સ્થળે ગુજરાતના અંદાજીત 25 જેટલા પ્રવાસીઓ ફરવા માટે ગયા હોવાનું રાજ્યના સ્ટેટ
ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર દ્વારા જાણવામળ્યું છે. ગુજરાતના પ્રવાસીઓને મુંબઇથી ગુજરાત ખાતે લાવવા
રાજય સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઘટના સંદર્ભે આનુસાંગિક કામગીરી
જમ્મુ કાશ્મીર સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાયના અન્ય ગુજરાતી
પ્રવાસીઓને મદદરૂપ થવા માટે ગુજરાત વહીવટી તંત્ર કાશ્મીર વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં
છે.
જે
અન્વયે અત્રેથી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી જમ્મુ કશ્મીર, જઊઘઈ, હોસ્પિટલ
તથા લોકલ પોલીસનો ટેલીફોનીક સંપર્ક કરી ઘટનાની તાત્કાલીક માહિતી મેળવી હતી. આ બાબતે
મુસાફરના સંબંધી હર્ષદ નાથાણી જેઓ સ્થળ પર હાજર હતા તેઓ સાથે ટેલીફોનીક વાતચીત કરી
સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી આ બાબતની વાતચીત અનંતનાગ પોલીસ સ્ટેશન સાથે કરી તપાસ કરવામાં
આવેલ. જે અંતર્ગત જઊઘઈ જમ્મુ કાશ્મીર દ્વારા ત્યાં હાજર અને ગુમ થયેલ વ્યકિતઓની માહિતી
અત્રે જઊઘઈને આપવામાં આવી હતી. આ હુમલામાં
ગુજરાતના 3 વ્યકિતઓ ભોગ બન્યા છે અને 1 વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે. આમ, ત્યાં હાજર હર્ષદ
નાથાણી સાથે વાતચીત કરતા બાકીના 17 પ્રવાસીઓ શ્રીનગરની સનરાઇઝ ડીલાઇટ હોટલમાં સલામત
સ્થળે હોવાનું જણાવ્યુ હતું.
મૃતક પ્રવાસીઓમાં સુરતના શૈલેષભાઈ હિમતભાઈ
કળથીયા અને ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર તેમજ સ્મિતભાઈ યતીશભાઈ પરમારનો સમાવેશ
થાય છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓમાં ડાભી વિનોદભાઈ જેઓ ઋખઈ, અનંતનાગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની
સ્થિતિ હાલ સામાન્ય છે.
દરમિયાન જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના
પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણેય ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને
શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવામાં માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભુપેન્દ્ર
પટેલના સતત દિશા નિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર દ્વારા
કરવામાં આવી છે.
ભાવનગરના બે મૃતક પ્રવાસી અને તેમના ચાર
સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી બાય રોડ ભાવનગર લાવવામાં આવશે. આ સાથે
બાકીના પ્રવાસીઓને પણ હવાઈ માર્ગે મુંબઈ અને ત્યાંથી બાય રોડ વાહન દ્વારા ભાવનગર સુધી
પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરતના એક મૃતક પ્રવાસી
સાથે તેમના અન્ય છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા
પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
બન્ને
મૃતકના મૃતદેહ અમદાવાદ હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલાટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા
અમદાવાદ
એરપોર્ટ પર મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ મુકેશ પટેલે
શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અમદાવાદ,
તા. 23: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં
મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ
પર લવાયા હતા. એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,
પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આરોગ્ય
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા
આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન
માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત
દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી
છે. ભાવનગરના બે મૃતકને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલાટિંગ સાથે ભાવનગર
સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજાલિ
આપશે.
એરપોર્ટ
પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમ
સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર
જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પિતા-પુત્રની
અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી જોડાશે
આંતકવાદી
હુમલામાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા વાળંદ સમાજના પિતા- પુત્રના કરુણ
મૃત્યુ નીપજ્યા છે. આ બનાવથી વાળંદ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. આવતીકાલે ગુરુવારે
સવારે આઠ વાગે પિતા પુત્રની અંતિમયાત્રા તેમના નિવાસ્થાન નંદનવન સોસાયટી કાળિયાબીડ
ખાતેથી નીકળશે. સવારે 8થી બપોરના 12 સુધી ર શહેરમાં વાણંદની દુકાનો બંધ રહેશે અને અંતિમ
યાત્રામાં જોડાશે. અંતિમ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિનિયર
મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ જોડાશે.
પહેલગાવ,
ગુલમર્ગ પ્રવાસે જનારા ટૂરિસ્ટ અડધેથી પાછા ફર્યા
દૂરદર્શનના
નિવૃત્ત અધિકારી સંજયભાઈ સાગઠિયાએ ફૂલછાબ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે પરિવાર
સાથે કાશ્મીર પ્રવાસે આવ્યાં છીએ, ગઈકાલે તુલીપ ગાર્ડન, મુઘલ ગાર્ડન, બદામવાડી વગરે
સ્થળે ફરીને પરત આવ્યાં ત્યારે પહેલગામ હુમલા અંગેની અમને જાણ થઈ, હાલ અમે શ્રીનગરમાં
રોકાયા છીએ. અહીંના લોકોમાં હુમલા અંગેની ચર્ચા અચૂક છે, શ્રીનગરના વેપારીઓએ બપોર સુધી પોતાના ધંધા-રોજગાર
બંધ રાખ્યાં હતાં. આ ઉપરાંત જે પ્રવાસીઓ પહેલગામ તેમજ ગુલમર્ગ ગયાં હતાં તેઓ પોતાના
પ્રવાસ અધૂરો છોડી શ્રીનગર પરત ફર્યા હતાં જેના કારણે શ્રીનગર-પહેલગામ રોડ ઉપર ટ્રાફિક
જામ થયો હતો. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શ્રીનગરમાં એકસ્ટ્રા મિલેટ્રી ફોર્સ
ખડકી દેવામાં આવી છે.
કાશ્મીરના
શાંતિ-શિક્ષણ માટે કામ કરતી સંસ્થાના ત્રણ સભ્યો પણ ફસાયા
કાશ્મીરના
બાળકોમાં અને આવનારી પેઢીમાં વાંચનની ટેવ વધે તે માટે અમે વિશ્વગ્રામ ટ્રસ્ટના સભ્યો
દ્વારા દર વર્ષે જમ્મુ-કાશ્મીરની સરકારી શાળાઓમાં વર્કશોપ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે
અત્યારે ટ્રસ્ટના ડો.નમ્રતાબેન, કેતનભાઈ લશ્કરી અને મેહુલભાઈ કાશ્મીરમાં છે અને જ્યાં
આતંકી હુમલો થયો તે પહેલગામથી આશરે 200 કિ.મી. દુર આવેલા ડોડા જિલ્લાથી દુર 30 કિ.મી.
દુર અવેલા બરસલાગામમાં અત્યારે તેમનું રોકાણ છે. કાશ્મિરની સ્થિતી અંગે કેતનભાઈ લશ્કરીએ
કહ્યંy હતું કે, આ વર્ષે ડોડા જિલ્લાની 11 શાળાઓમાં વિસ્મયના વનમાં વિચરણ વર્કશોપનું
આયોજનતા.11થી 28 એપ્રિલ દરમિયાનનું છે. અમારું જ્યા રોકાણ છે ત્યાં સ્થિતિ સામાન્ય
છે, પરંતુ પહેલામમાં પ્રવાસીઓ સાથે જે થયું તેનું અત્યંત દુ:ખ છે. અમારો આગળનો કાર્યક્રમ
ઉરી જવાનો હતો, પરંતુ અત્યારે તો ક્યાંય નીકળી શકાય તેમ નથી. નજીકના સમયમાં જો પરવાનગી
મળશે તો ઉરી જશુ અને બોળકો માટે પ્રિ-એક્ટિવીટી, ડ્રામા, ફિલ્મ મેકિંગ વર્કશોપ, પેન્ટીંગ,
મેથ્સ-સાયન્સ, જોય ઓફ લર્નીંગ જેવા વર્કશોપ કરવામાં આવશે.