શ્રીલંકાઇ નાગરિકની માગ ફગાવી, કોર્ટે કહ્યું : પહેલાંથી જ 140 કરોડ સાથે દેશ સંઘર્ષ કરે છે
નવી
દિલ્હી, તા. 19 : શરણાર્થીઓના મુદ્દે સખત વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું
હતું કે, ભારત દેશ એ કોઇ ધર્મશાળા નથી. દુનિયાભરમાંથી આવેલા લોકોને શરણ આપવાનું કોઇ
ઔચિત્ય નથી.
ભારત
દેશ 140 કરોડ લોકોની જંગી વસ્તી સાથે પહેલાંથી જ સંઘર્ષ કરી રહ્યો છે. દરેક જગ્યાએથી
આવતા શરણાર્થીઓને શરણ આપવું શક્ય નથી.
ન્યાયમૂર્તિ
દીપાંકર દત્તા અને કે. વિનોદચંદ્રનની ખંડપીઠે શ્રીલંકાઇ તમિલ નાગરિકની શરણ આપવાની માંગ
કરતી અરજી ફગાવી દેતાં આ ટિપ્પણી કરી હતી. હકીકતમાં મદ્રાસ હાઇકોર્ટે શ્રીલંકાઇ નાગરિકને
ગેરકાનૂની ગતિવિધિ નિયમન કાયદા (યુએપીએ) હેઠળ સાત વર્ષની સજા પૂરી થતાં તરત ભારત દેશ
છોડી દેવાનો આદેશ આપ્યો હતો.
એ આદેશને
પડકારતાં અરજી કરીને સિંહાલી નાગરિકે સુપ્રીમને હસ્તક્ષેપની માંગ કરી હતી, પરંતુ કોર્ટે
તેની અરજી ફગાવી દીધી હતી.
શ્રીલંકામાં
તમિલ નાગરિકને જાનનો ખતરો છે તેવી દલીલ સિંહાલી નાગરિકના વકીલે કરી હતી. જસ્ટિસ દીપાંકર
દત્તાએ પ્રશ્ન પૂછયો હતો કે, ભારત દેશમાં વસવાનો આપનો કયો અધિકાર છે.
ઉલ્લેખનીય
છે કે, અગાઉ, દેશના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે એક વખત સુનાવણીમાં કહ્યું
હતું કે, શરણાર્થીઓનું વસવું રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.