210 મૃતકમાં 155 ભારતીય નાગરિક, 7 પોર્ટુગીઝ, 36 બ્રિટિશ, એક કેનેડિયન તેમજ 11 નોન પેસેન્જરનો સમાવેશ
અમદાવાદ,
તા.20 : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 231 મૃતકનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં
કુલ 210 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ
ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. ડો.જોશીએ એમ પણ જણાવ્યું હતું કે, 10 પરિવારો નજીકના
સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 3 એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં
પરિવારોને સોંપાશે. 8 પરિવાર બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.
તેમણે
ઉમેર્યું કે, 210 મૃતકમાં 155 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, એક
કેનેડિયન તેમજ 11 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. તેમણે પરિવારજનોને સોંપવામાં આવેલા
પાર્થિવ દેહોની વિગતો આપતા કહ્યું કે, ઉદયપુર 7, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 60, મહેસાણા
6, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 23, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર
6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1,
લંડન 3, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 1, મુંબઈ 9, નડિયાદ 1 , જામનગર 2, પાટણ 2, દ્વારકા
2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા
હતા.