• શુક્રવાર, 03 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: દિનેશભાઈ શાંતિભાઈ જાનીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 503મું ચક્ષુદાન થયેલ છે. દેહદાન વિજયભાઈ ડોબરિયાના સહયોગથી થયેલ છે.

ગોંડલ: મહેશભાઈ (મેતુ) જેઠાભાઈ, સોજીત્રા (વિકાસ સેલ્સ કોર્પોરેશન) તે યશભાઈના પિતા, તે દિનેશભાઈના નાનાભાઈનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4થી 6, શ્યામવાડી, પેલેસ રોડ, ગોંડલ છે.

પોરબંદર: જ્યોત્સનાબેન લાલજીભાઈ ચોટાઈ (ઉં.71) તે લાલજીભાઈ હરીદાસભાઈ ચોટાઈનાં પત્ની, તે શૈલેષભાઈ, વિજયભાઈ, ઉમાબેન કમલેશભાઈ દાસાણીનાં માતુશ્રી, તે કેવલ અને દેવનાં દાદીમા, તે અમરાપરવાળા કાનજીભાઈ રાઘવજીભાઈ પોપટનાં પુત્રીનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા-પિયર પક્ષની સાદડી તા.20ના શનિવારે 4-15થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ગોંડલ: મનીષભાઈ નટવરલાલ પરમાર (ઉં.46) તે વિપુલભાઈના ભાઈ, તે રક્ષિતના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, “િપ્રન્સ’’, આશાપુરા સોસાયટી, મનીષા પાનની બાજુમાં, ગોંડલ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ આણંદકા દવે સવિતાબેન કાંતિલાલ દવે (ઉં.92) તે દેવશંકરભાઈ દવેનાં મોટાબેનનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ને શનિવારે સાંજે 5થી 7, સ્વાશ્રય હોલ, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.94262 16348, 98988 77747

 

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.દિનકરપ્રસાદ હેમશંકર વ્યાસના પુત્ર મુકેશભાઈ દિનકરપ્રસાદ વ્યાસ (ઉં.68)(રાજકોટ, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર) તે મનોજભાઈ, સ્વ.ઈન્દ્રવદનભાઈ તથા સ્વ.સુબોધભાઈના નાનાભાઈ, તે કુલદીપભાઈ, જાનકીબેનના પિતાશ્રી, તે પલકબેન, પ્રકાશભાઈના સસરા, તે સ્વ.રમેશચંદ્ર ભટ્ટ, સ્વ.ગુણવંતરાય ત્રિવેદીના જમાઈનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.22ના સોમવારે સાંજે 5 થી 6, તુલસીબાગ, હરીનગર, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતલસર (જં): મુળ ખાટલી હાલ જેતલસર (જં) નિવાસી ભુપતરાય મોહનલાલ ઠાકર (ઉ.92)(લોજવાળા) તે દિલીપભાઈ, બકુલભાઈ, નયનાબેન અનિલકુમાર ભટ્ટ (મોરબી), ગીતાબેન હસમુખરાય ઉપાધ્યાય (ભોજાવદર), સ્વ.મમતાબેન ચીમનભાઈ જોષી (જેતપુર)ના પિતા, તે સ્વ.જનકરાય ત્રંબકલાલ શુક્લ, કમલનયનભાઈ (બાબામામા) અને પ્રકાશભાઈના બનેવી, તે પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટના નાનાનું તા.18ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.22ના સવારે 9 થી 11, જેતલસર જંક્શન, તાલુકા જેતપુર, જિલ્લો રાજકોટ છે.

જામનગર: શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ કીર્તિબેન ત્રિવેદી તે સ્વ.બિપીનચંદ્ર જશવંતરાય ત્રિવેદીના પત્ની, તે જસ્મીતાબેન ગૌરવભાઈ પંડયાના માતા, તે ઈજ્જતરાય દામોદરદાસ ઓઝાના પુત્રી, તે અજયભાઈ આઈ.ઓઝાના બહેનનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 5-30, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગર છે.

પોરબંદર: ભાવનાબેન ભીખાલાલ રાડીયા (ઉ.76) તે ભીખુભાઈ લાલજીભાઈ રાડીયાના પત્ની, તે દીપકભાઈ, અશ્વિનભાઈના ભાભી, તે ઉર્મિલભાઈના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના 5-45 થી 6-15, પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોનું

સંયુક્ત છે.

જામનગર: સુભાષચંદ્ર ધરમશીભાઈ તન્ના (ઉ.78) તે જયંતિભાઈના લઘુબંધુ, તે મણીભાઈ, મહેશભાઈના મોટાભાઈ, તે કમલેશભાઈ, કેતનભાઈ, ઈલાબેન રમેશકુમાર ઠકરારના પિતાશ્રી, તે સ્વ.પ્રભુદાસ તુલસીદાસ ખગ્રામના જમાઈનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.

પોરબંદર: અમૃતલાલ ભાણજીભાઈ ચોટાઈ (ઉ.72) તે આકાશભાઈ, દિશાબેન ભરતભાઈ ગોકાણીના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 5 થી 5-30, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: મોઢવણિક ઉષા એજન્સી (બાટાવાળા) લલીતભાઈ નાનચંદ ગાંધી (ઉ.90) તે રમાબેનના પતિ, તે જયેશભાઈ, જીતેનભાઈ, ઉર્મિબેનના પિતાશ્રી, તે રોહન અને સુનીલના દાદાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 6-30, સવન સીમ્ફોની, વિદ્યાનિકેતન રોડ, રૈયા ગામની સામે, રાજકોટ છે.

રાજકોટ: મંજુલાબેન ડાયાલાલ ગઢિયા (ઉ.81) ધ્રાફા નિવાસી હાલ રાજકોટ તે ડાયાલાલ હરીદાસ ગઢિયાના પત્ની, તે સ્વ.રામજીભાઈ દ્વારકાદાસ રવાણીના દીકરી, તે હિરેનભાઈ, વર્ષાબેન ભરતકુમાર વડેરા, ક્રિષ્નાબેન રાજેશકુમાર ચોટાઈ, અલ્પાબેન ભરતકુમાર પાઉં, પ્રફુલાબેન સતીષકુમાર માનસાતા, નીતાબેન કમલેશકુમાર કટારીયાના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 6, પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

જૂનાગઢ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ નીલમબેન ભાનુશંકર ભટ્ટ (ઉ.99) તે જગદીશચંદ્ર (લેસ્ટર યુ.કે), સ્વ.દિનેશચંદ્ર, રંજનબેન અરૂણભાઈ જોષી (અમરેલી)ના માતુશ્રી, તે સરોજબેન, ચંદ્રિકાબેન (રાજકોટ)ના સાસુ, તે સ્વ.દયાબેન બાવાલાલ જોષી (ખીરસરા)ના દીકરી, તે દેવભાઈ (લેસ્ટર યુ.કે), મિત્તલબેન કલ્પેશભાઈ વ્યાસ (ભાવનગર), ખ્યાતિબેન કુનાલભાઈ જોષી (રાજકોટ)ના દાદી, તે તેજલબેન દેવભાઈ ભટ્ટના દાદીજીનું તા.17ના અવસાન થયું છે. તેઓની ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું તા.22ના સાંજે 4 થી 6 છે. મો.નં.દેવભાઈ-63535 06887, રંજનબેન-94085 23266

રાજકોટ : હડાળાવાળા હાલ રાજકોટ સ્વ. કનકરાય ખીમચંદ મહેતાનાં પત્ની લતાબેન (ઉં.84)તે કોમેટ એન્જિ. કું.વાળા, સ્વ. ભરતભાઈ, ભાવના પ્રકાશભાઈ વોરા, નૂતન ધીરેનભાઈ મોવાણી, રૂપલ ભાવેશભાઈ દોશી, આશા કેતનભાઈ દેસાઈનાં માતુશ્રી, દેવલ અને એનિલ (આદિ)નાં દાદી, કેવલચંદ પોપટભાઈ શાહનાં પુત્રીનું તા.19ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.20ને શનિવારે સવારે 7 વાગ્યે તેમનાં નિવાસસ્થાન કનકકુંજ, 8/13 જયરાજ પ્લોટ કોર્નર, રાજકોટ ખાતેથી નીકળશે.

મોરબી: ઘનશ્યામભાઇ સ્વરૂપચંદભાઈ કેલા (ઉં.77)તે તારાચંદભાઈ, પ્રવીણભાઇના ભાઇ, જીતેન્દ્રભાઇ, વિપુલભાઇ, વિજયભાઇ, હિતેશભાઇના પિતાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5થી 6 1-કાલિકા પ્લોટ, રાજ બેન્ક સામે, રવાપર રોડ, મોરબી છે.

ઇ-પેપરના નવા શુલ્ક