100 ટકા ઈ-કેવાયસી નહી કરે ત્યાં સુધી અનાજ વિતરણ નહી કરાય તેવી ચેતવણી અપાઈ
અમદાવાદ,
તા.1 : રાજ્યમાં રાશન દુકાનધારકો આવતીકાલથી અનાજ વિતરણ કરશે નહીં. ગુજરાત ફેર પ્રાઇસ
શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા શહેર અને જિલ્લાના સભ્યો સાથે મળેલી
બેઠકમાં નિર્ણય આવો લેવામાં આવ્યો હતો. જેના પરિણામે 15 હજાર જેટલી સરકારી અનાજના દુકાનદારો
વિતરણથી દુર રહેશે. સરકાર રાશનકાર્ડનું 100 ટકા ઈ-કેવાયસી નહી કરે ત્યાં સુધી અનાજ
વિતરણ નહી કરાય તેવી ચેતવણી અપાઈ છે.
શોપ્સ
એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું
કે, ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ, આ સરકારની ફરજ
છે. રાજ્ય સરકારનો વિભાગ ફકત છાપામાં જાહેરાત આપે એ કેટલે અંશે યોગ્ય છે? દુકાનદારોને
દબાણ કરવાથી કેવાયસી પૂર્ણ નહીં થાય સરકારે તેના માટે પગલા ભરવા પડશે. અમે આ અંગે કોર્ટમાં
જઈને લડવા માટે પણ તૈયાર છીએ.
સરકાર
સાથે ચર્ચાઓ બાદ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. બેઠકમાં શહેર અને જિલ્લાના
રેશન દુકાનદારો હાજર રહ્યા હતા. બેઠકમાં વિવિધ મુદાઓને લઈને થઈ ચર્ચા થઇ હતી. 100 ટકા
ઈ-કેવાયસી ન કરે ત્યાં સુધી દુકાનદારો વિતરણ કરવાથી અળગા રહેશે તેવી ચેતવણી અપાઈ છે.