• શનિવાર, 31 મે, 2025

હડમતીયા ગીર ગામે વન્ય પ્રાણીઓની પજવણી કરતા ત્રણ શખસ ઝડપાયા

વન વિભાગે રૂા.75 હજારનો દંડ વસૂલી જામીન ઉપર મુક્ત કર્યા

તાલાલા ગીર, તા.28: હડમતીયાના જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે ગેરકાયદે પ્રવેશ કરી વન્ય પ્રાણીઓની રંજાડ કરતા ત્રણ શખસોની વન વિભાગે અટક કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

તાલાલા રેન્જ આર.એફ.ઓ. ધવલભાઈ વઘાસિયાની સુચનાથી વનવિભાગના સ્ટાફને રાત્રી પેટ્રોલીંગ દરમિયાન જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીની રંજાડ થતી હોવાની બાતમી મળતા તપાસ દરમિયાન હડમતીયા ગીર પી.એફ.જંગલ ભાગમાં વન્ય પ્રાણીઓની રંજાડ કરતા અમુક શખસો નજરે પડયા હતા. જેમાં વત્સલ પટેલ, શૈલેષ આહીર, વિજય જેઠવાને તાલાલા વન વિભાગની કચેરીએ લાવી રૂા.75 હજારનો દંડ વસુલ કરી ત્રણેય શખસોને જામીન ઉપર મુક્ત કરાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક