પોરબંદર, તા.1: 25 દિવસ પહેલા પોરબંદરને પીવાનું પાણી પૂરૂ પાડતા ખંભાળા ડેમમાં ગેરકાયદે માછીમારી કરી રહેલા શખસોને અટકાવવા ગયેલા વન વિભાગના કર્મચારી સાથે ઝપાઝપી કરી ત્યાર બાદ આરોપીની વાડીએ તપાસમાં ગયેલા વન વિભાગના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેમાં ચાર શખસો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી તે પૈકીના બે ઇસમો નાશી ગયા હતા. જેને વન વિભાગે પકડીને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવાનો હુકમ થતા બંનેને પોરબંદરની ખાસ જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. અધિકારીઓએ માછીમારી કરવા અંગે તેઓ પાસે પરવાનો માંગતા બે શખસો પૈકી એકનું નામ જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા અને બીજો સીકંદર રામવુક્ષ સહની હોવાનું જણાવ્યું હતું. જેમાં જિજ્ઞેશ નવઘણ મકવાણાએ વન વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી તેમને ધકકો મારી નાસી ગયો હતો. ત્યાર બાદ ફરીયાદીએ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ વન વિભાગની કચેરીમાં જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા, સીકંદર રામવૃક્ષ સહની, અશરફશાહ ફિરોઝ શાહ રફાઇ અને ચોથા અજાણ્યા માણસ વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદર
વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા એસ.સી.એફ. રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન
હેઠળ રાણાવાવ રેન્જના આર.એફ.ઓ. મલય મણીયારની ટીમ દ્વારા તા.4-5-2025ના રોજ પોરબંદર
જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ડેમમાં અભ્યારણ્ય વિસ્તારમા ગેરકાયદેસર પ્રવેશ કરી
બોટ અને જાળ વડે માછલીનો શિકાર કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ રફાઇ અશરફશા ફિરોજશા,
રહે. રાણાવાવ (ઉ.વ.30), શાહમદાર નસીરશા નયુમશાહ
રહે. રાણાવાવ (ઉ.વ.27)ને તા.31-5-2025ના રોજ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ રાણાવાવની
કોર્ટમાં રજુ કરવામાં આવેલા હતા. કોર્ટ દ્વારા
બન્ને આરોપીઓના જામીન નામંજૂર કરી પોરબંદર ખાસ જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં
આવેલો છે.