જૂનાગઢ, તા.1: જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં જ યુવકે વિડિયો બનાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના થોડા દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગયા બાદ મનાવવા છતાં પાછી આવી ન હતી અને યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી. જેથી યુવકને આ પગલું ભર્યું હતું. આ છોકરી અને એના મામાએ મારી જિંદગી બગાડી છે એને સજા નહીં મળે ત્યા સુધી મારી આત્મા ભટકશે.તેવી સુસાઈડ નોટ પણ લખી છે.
જાણવા
મળતી વિગત મુજબ જૂનાગઢમાં કામદાર સોસાયટીમાં રહેતા પીયૂષ રાજુભાઈ ગોહેલ (ઉં.વ.32) નામના
યુવાનના ગત તા.8ના જેતપુરની ચાંદની નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્નના 25 દિવસમાં
જ યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત પૂર્વે પાંચ મિનિટનો વીડિયો બનાવ્યો
હતો. જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર
આક્ષેપ કર્યા છે. રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી હતી. કે, મારી ભૂલ થઈ ગઈ છે,
મને માફ કરી દેજો. લગ્નના થોડા દિવસમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી છે. ‘મારી પત્ની
તેના મામાનું જ કહેવું માને છે’ મારો આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચે. એને
સજા મળવી જોઈએ ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે ત્યા સુધી નહીં મળે. યુવકે સ્યુસાઈડ
નોટમાં લખ્યું છે કે તેની પત્ની લગ્નના ચાર દિવસમાં જ પિયર ચાલી ગઈ હતી અને પરત આવતી
ન હતી.પત્ની અને તેના મામા તેને ઘર જમાઈ રહેવા દબાણ કરતા હોવાનું જણાવ્યું છે.