• બુધવાર, 04 જૂન, 2025

ગારિયાધારમાં વાહન હટાવવા બાબતે બઘડાટી : લોકો ભયભીત

            અડધો કલાક માથાકૂટ ચાલી છતાં પોલીસ ન પહોંચી!

ગારિયાધાર, તા.1: ગારિયાધારમાં વાહન હટાવવા બાબતે બે શખ્સો વચ્ચે બઘડાટી બોલી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મારામારી થતા લોકોના ટોળા એકઠા થયા હતા. અડધો કલાક સુધી માથાકૂટ ચાલી છતા પોલીસે ડોકીયુ કરવાની પણ તસ્દી લીધી ન હતી. જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉજાગર કરે છે.

ગારીયાધારમાં સાંજના અરસામાં રોડ ઉપર નડતર વાહન લેવાની નજીવી બાબતે ભૈરવનાથ ચોક પાસે નાસ્તાની દુકાન સામે બે શખસ સામસામે આવી ગયા હતા. જે શરૂઆત મોટેથી બોલાચાલી કરવા લાગતા ગાળા ગાળી બોલતા થોડી જ વારમાં આ શખસ બાખડી પડતા નજરે જોવા મળ્યા હતા જ્યારે આ સમગ્ર દૃશ્ય જોનારા લોકોના ટોળેટોળા ઉંમટી પડયા હતા જેના કારણે અડધો કલાક સુધી જાહેર માર્ગ પર ટ્રાફિક જામ થવાના દૃશ્યો જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના નજરે જોનારા લોકો ભયભીત બની ગયા હતા. અડધો કલાક સુધી આ ઘટના જાહેર માર્ગ ઉપર ચાલી હતી પરંતુ આ ઘટનાના પગલે ગારિયાધાર પોલીસ દ્વારા કોઈ તસ્દી લેવામાં આવી ન હતી. આ ઘટના બાદ બન્ને પક્ષના સમર્થકો એસટી બસ સ્ટેશન ખાતે ફરી એકઠા થતા માથાકૂટ થઈ હતી. જાહેર માર્ગ પર અડધો કલાક સુધી ઘટના બને જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ પહોંચી ન શકે  આટ આટલી બેદરકારી ભરી કામગીરી હોવા છતાં જિલ્લા પોલીસ વડા ગારિયાધાર આવી પોલીસની કેવા પ્રકારની કામગીરીને બીરદાવી હશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક