પીઓકેમાં
આતંકી તાલિમ શરૂ : બીએસએફ આઈજીએ કહ્યું દરેક વિસ્તારમાં એલર્ટ રહેવું પડશે
નવી
દિલ્હી, તા. 28 : બીએસએફના કહેવા પ્રમાણે ઓપરેશન સિંદૂર બાદ પીઓકેમા રહેલા આતંકી લોન્ચ
પેડ અને ટ્રેનિંગ કેમ્પમાં આતંકીઓ પરત ફરી રહ્યા છે. બીએસએફના આઈજી શશાંક આનંદે કહ્યું
હતું કે એલઓસીઅને અંતરરાષ્ટ્રીય સરહદ બન્નેથી આતંકીઓની ઘુસણખોરની સંભાવનાના ઈનપુટ મળી
રહ્યા છે.જેનાથી સતર્ક રહેવું ખુબ જ જરૂરી છે.
આઈજી
શશાંક આનંદે કહ્યું હતું કે, વર્તમાન સમયે કોઈ ખાસ દિવસને લઈને જાણકારી નથી પણ સતત
સૂચના મળી રહી છે કે આતંકી સંગઠનો સક્રિય થયા છે. તેઓ ફરીથી કેમ્પમાં પરત ફર્યા છે
અને ટ્રેનિંગ લઈ રહ્યા છે. વધુમાં સુરક્ષામાં ઢીલ જોવા મળે તેવા વિસ્તારમાંથી ઘૂસણખોરીની
કોશિશ કરવામાં આવશે. આઈજીએ આગળ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર બન્ને ક્ષેત્રમાં
એલઓસી અને આઈબી ઉપર ઈનપુટ મળી રહ્યા છે. આ કારણે દરેક વિસ્તારમાં સુરક્ષા દળોએ એલર્ટ
મોડમાં રહેવું પડશે.
ભારતીય
સશત્ર દળ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકે અને પાકિસ્તાનમાં રહેલા
100થી વધારે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાની ડ્રોન હુમલાની કોશિશોને
પણ નાકામ કરવામાં આવી હતી.