તપાસ
રિપોર્ટને આધારે સરકાર સંસદના ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લાવી શકે
નવી
દિલ્હી તા.ર8 : દેશમાં ભારે ચકચાર મચાવનાર રોકડકાંડમાં દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ
યશવંત શર્મા પર મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર ચોમાસું સત્રમાં
આ અંગે પ્રસ્તાવ લાવી શકે છે. આ પહેલા જસિટસ વર્મા પાસે સ્વૈચ્છીક રાજીનામું માગવામાં
આવ્યું હતુ જે આપવા તેમણે ઈનકાર
કર્યો
હતો.
સુપ્રીમ
કોર્ટ નિયુકત તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા પર લગાવેલા આરોપને ગંભીર માની કેન્દ્ર સરકાર
સંસદના આગામી ચોમાસું સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવે તેવી સંભાવના છે. 3 મે નારોજ
સુપ્રીમ કોર્ટ નિયુક્ત 3 સદસ્યની સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યંy હતું કે 14 માર્ચના
રોજ જસ્ટિસ વર્માના સરકારી આવાસમાં આગ લાગ્યા બાદ ત્યાં મોટા પ્રમાણમાં રોકડના બંડલ
મળ્યા હતા. આ આરોપમાં પ્રથમ દૃષ્ટિએ સત્ય જણાયું છે.
તત્કાલિન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ તપાસ રિપોર્ટની એક નકલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ
અને બીજી વડાપ્રધાન મોદીને મોકલી જસ્ટિસ યશવંત વર્મા પર મહાભિયોગ ચલાવવા ભલામણ કરી
હતી. તપાસ શરુ થયાબાદ જસ્ટિસ વર્માની બદલી કરીને તેમને દિલ્હીથી ઈલાહાબાદ હાઈકોર્ટમાં
મુકાયા હતા. તેમણે શપથ તો લીધા પરંતુ કોઈ ન્યાયયિક કામ હજુ સોંપવામાં આવ્યું નથી.