• શનિવાર, 31 મે, 2025

કોરોના સામે સાવધાન...1200 કેસ

ભારતનાં પાંચ રાજ્યમાં 12 મોત થઇ ચૂકયાં છે, ઉત્તર-પૂર્વમાંયે દર્દી દેખાયા

નવી દિલ્હી, તા. 28 : કાળમુખા કોરોના વાયરસના ફરી દેખાવા માંડેલાં સંક્રમણે દેશના વિવિધ ભાગોમાં ઊચાટ ફેલાવ્યો છે. સંક્રમિતોની સંખ્યા 1200થી વધુ થઇ ગઇ છે, તો અત્યાર સુધી 12 દર્દીનાં મોત થઇ ચૂકયાં છે.

કેરળમાં સૌથી વધુ 430 દર્દી છે, ત્યારબાદ 325 સંક્રમિત સાથે મહારાષ્ટ્ર બીજાં સ્થાને છે. આ રાજ્યમાં એકલાં મુંબઇમાં 316 દર્દી છે.

દક્ષિણ ભારતીય રાજ્યોમાં સંક્રમણના ફેલાવા બાદ હવે દેશનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે.અરુણાંચલ પ્રદેશમાં બે મહિલા ચીની વાયરસના નવા વોરિયંટથી સંક્રમિત જોવા મળી. અત્યાર સુધી મહારાષ્ટ્ર,  રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં 12 દર્દી જીવ ખોઇ ચૂકયા છે. હોંગકોંગ, સિંગાપુર, ચીન અને થાઇલેન્ડ બાદ હવે ભારતમાં પણ કોવિડ-19ના કેસ જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, 12મી મેના દિવસે આખા દેશમાં 164 સંક્રમિત હતા. આમ, એક પખવાડિયાના ગાળામાં સંક્રમિતોની સંખ્યા 1200ને પાર કરી ગઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક