મુર્શિદાબાદ હિંસા, ઓપરેશન સિંદૂર મુદ્દે મમતા બેનર્જી પર ગૃહમંત્રીના પ્રહાર
કોલકત્તા,
તા.1 : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કોલકત્તાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં
ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને સંબોધન કર્યુ અને મમતા સરકાર તથા તૃણમૂલ કોંગ્રેસની
ઝાટકણી કાઢી દાવો કર્યો કે ર0ર6માં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
મુર્શિદાબાદ
હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યંy કે અમારા ગૃહ મંત્રાલયે વારંવાર કહ્યું કે બીએસએફને બોલાવી
લો, પરંતુ તેમણે ન બોલાવી કારણ કે જો બીએસએફ આવત તો હિંદુઓની રક્ષા થાત. પછી ભાજપા
કાર્યકરો હાઈકોર્ટ ગયા ત્યારે બીએસએફ આવી અને હિંદુઓને બચાવ્યા. શાહે પશ્ચિમ બંગાળની
બે દિવસની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે
કહયું કે બંગાળમાં ચૂંટણી હિંસા હજૂય ચાલુ છે અને ટીએમસી સરકાર ગુનેગારોને બચાવી રહી
છે. તેમણે ઓપરેશન સિંદૂર પર મમતા બેનર્જીની ટિપ્પણીની નિંદા કરતાં ગેરકાયદે ઘૂસણખોરો
મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે દીદી, હિંસા કરનારાઓને કયાં
સુધી બચાવતાં રહેશો ?
ઓપરેશન
સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહયુ કે વોટ બેંક માટે
મમતા દીદીએ પતનની સીમા પાર કરી છે. આતંકીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીથી દીદીને દુ:ખ
થાય છે. મમતા બેનર્જીએ ઓપરેશન સિંદૂર વિશે ટિપ્પણી કરીને આ ઓપરેશનનું અપમાન કર્યુ છે.
ઘટિયા રાજનીતિક ટિપ્પણી કરીને ઓપરેશન સિંદૂરનો વિરોધ કર્યો છે. દેશની કરોડો માતાઓ અને
બહેનો સાથે તેમણે ખિલવાડ કર્યો છે. બંગાળની જનતાને અપીલ છે કે તેમને સિંદૂરની કિંમત
સમજાવી દે.
દેશને
ગુમરાહ કરે છે સરકાર : કોંગ્રેસ
સીડીએસ
અનિલ ચૌહાણની નુકસાનનાં સ્વીકાર અંગે ટિપ્પણી પછી કોંગ્રેસે કરી સંસદનાં વિશેષ સત્રની
માગણી
નવી
દિલ્હી, તા.1: પ્રમુખ રક્ષા અધ્યક્ષ(સીડીએસ) અનિલ ચૌહાણે પાકિસ્તાન સામેનાં ટકરાવમાં
ભારતે જેટ વિમાન ગુમાવ્યા હોવાની પુષ્ટિ આપી દીધા બાદ આ મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવા
આક્રમકતા અખત્યાર કરી લીધી છે. કોંગ્રેસે સીડીએસનાં નિવેદનનો હવાલો આપીને સરકાર ઉપર
દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, અનેક મહત્ત્વનાં સવાલોનો
જવાબ આપવા માટે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ. સરકારે સાચુ જણાવવું જોઈએ
કે આમાં ભારતને કેટલું નુકસાન થયું છે.
આ ઉપરાંત
કોંગ્રેસે પોતાની માગણી દોહરાવતા કહ્યું હતું કે, કારગિલ સમીક્ષા સમિતિની તર્જ ઉપર
એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિ દ્વારા દેશની વર્તમાન રક્ષા તૈયારીની વ્યાપક સમીક્ષા કરાવવી
જોઈએ. જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સાથેનાં સૈન્ય ટકરાવમાં જેટ વિમાનને નુકસાનની કબૂલાત
આપી છે પણ રાફેલ સહિત છ ભારતીય યુદ્ધ વિમાનોને તોડી પાડયાનાં પાક.નાં દાવાને તેમણે
ખારિજ કરી દીધો હતો.
ઉલ્લેખનીય
છે કે, એક મીડિયા ઈન્ટરવ્યુમાં જનરલ ચૌહાણે કહ્યું હતું કે, કેટલું નુકસાન થયું તેનાં
કરતા મહત્વનું એ છે કે, વિમાનનું નુકસાન શા માટે થયું? જેથી ભારતીય સેના રણનીતિમાં
સુધારો કરી શકે અને પછી જવાબી કાર્યવાહીને અંજામ આપી શકે.
આને
લઈને કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ ઉપર એક ટ્વીટમાં લખ્યું હતું કે,
સીડીએસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને મદ્દેનજર કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવા
આવશ્યક બની જાય છે. આવું ત્યારે જ થઈ શકશે જ્યારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે.
આપણી વાયુસેનાનાં પાયલટ લડીને જીવ જોખમમાં મૂકી રહ્યાં હતાં. ત્યારે કોંગ્રેસ એક વ્યાપક
રણનીતિ સમીક્ષાની માગ કરે છે.