હોસ્ટેલ વોર્ડનના ઠપકા બાદ છાત્રની આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી
દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટે એક ધ્યાન ખેંચનારા નિર્દેશમાં જણાવ્યું હતું કે, કોઇને
વઢવું, ઠપકો દેવો તે આત્મહત્યા માટે ઉશ્કેરવાનું કૃત્ય માની ન શકાય.
એક
હોસ્ટેલ વોર્ડનને આવા કૃત્ય માટે દોષી ઠરાવનાર મદ્રાસ હાઇકોર્ટના ફેંસલાને રદ કરી દેતાં
સર્વોચ્ચ અદાલતે આવી ટિપ્પણી કરી હતી.
કોઇ
એવું વિચારી પણ ન શકે કે, વઢવાથી આવી ઘટના થઇ શકે, તેવું ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ
અને પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે જણાવ્યું હતું. એક વિદ્યાર્થીની ફરિયાદ ધ્યાને લેતાં
વોર્ડને બીજા વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ છાત્રએ પોતાના ઓરડામાં જઇ, ગળેફાંસો
ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વોર્ડને એવો તર્ક આપ્યો હતો કે, મેં તો બીજીવાર ભૂલ
ન કરે તે માટે છાત્રને માવતરની જેમ હળવો ઠપકો આપ્યો હતો.
ઉલ્લેખનીય
છે કે, ડિસેમ્બર 2024માં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નક્કર પુરાવા હોય, ત્યારે
જ કોઇ વ્યક્તિ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો દોષ મૂકી શકાય.