નવી દિલ્હી, તા.1 : ઓપરેશન સિંદૂર બાદ દુનિયાના વિવિધ દેશોમાં ફરી રહેલા ભારતીય સાંસદોના પ્રતિનિધિ મંડળોમાં એક પ્રતિનિધિ મંડળ અલ્જીરિયા પહોંચ્યું છે જયાં ભારતીય દળના આગેવાન એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદીન ઓવૈસીએ શનિવારે પાકિસ્તાનની પોલ ખોલી હતી.
આતંકવાદ
મુદે પાકિસ્તાનને બેનકાબ કરતાં ઓવૈસીએ કહયું કે જકીઉર રહમાન લખવી નામનો એક આતંકવાદી
હતો. દુનિયાનો કોઈ દેશ આતંકવાદનો સામનો કરી રહેલા આતંકવાદીને જેલની બહાર જવાની મંજૂરી
આપતો નથી પરંતુ લખવી જેલમાં બેઠા બેઠા એક બાળકનો પિતા બની ગયો. તેમછતાં જયારે પાકિસ્તાનને
એફએટીએફના ગ્રે લીસ્ટમાં મૂકી દેવાયું તો કેસ તુરંત આગળ વધ્યો હતો. ઓવૈસીએ એ બાબત પર
ભાર મૂકયો કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાન થોડા સમય માટે આતંકવાદ
સામે કાર્યવાહી કરવા મજબૂર થયું હતું.
મારા
સાથીના ચીથરાં ઉડયા, હું જનાજામાં ન જઈ શકયો
પહલગામ
હુમલાના માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહનો એકરાર
ઈસ્લામાબાદ,
તા.1 : પહલગામ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કરે તોઈબાના કમાન્ડર સૈફુલ્લાહે એકરાર
કર્યો છે કે ઓપરેશન સિંદૂર હેઠળ 7મી મે ના રોજ મુરીદકેમાં ભારતની એરસ્ટ્રાઈકમાં તેના
એક સાથી મુદસ્સરના ચીથરાં ઉડી ગયા હતા અને તે તેના જનાજામાં પણ સામેલ ન થઈ શકયો અને
ખુબ રોયો હતો.
સૈફુલ્લાહ
કસૂરી અને મુઝમ્મિજલ હાશમીએ તાજેતરમાં કેટલીક ભડકાઉ વાત કરી હતી જેમાં સૈફુલ્લાની કબૂલાત
સામે આવી છે જે એવું કહે છે કે મને તેના જનાજામાં જવાની મંજૂરી ન હતી. તેના જનાજાના
દિવસે હું ખુબ રોયો હતો. જે કે તેને કોણે જનાજામાં જતાં રોકયો તે વિશે કોઈ સ્પષ્ટતા
કરી નથી.