મુંબઈ, તા.20: બોલીવૂડની અભિનેત્રી માધુરી દીક્ષિતને પ4મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ભારતીય સિનેમામાં અસાધારણ યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક્સ સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટમાં આ વિશે ઘોષણા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રતિભાશાળી અને કરીશ્માઈ અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં યોગદાન બદલ વિશેષ સન્માન પ્રદાન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આઇએફએફઆઇનાં પ4મા સંસ્કરણનો આજથી ગોવાનાં પણજીમાં શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં આરંભ થયો છે.