• રવિવાર, 19 મે, 2024

‘પીઓકેને ભારતનો ભાગ બનાવશું’

- વિદેશમંત્રીએ કહ્યું, દેશ આને ભુલ્યો નથી, બધા જાણે છે કે બહારના લોકો અહીં કેવી રીતે નિયંત્રણમાં આવ્યા

 

 

નવી દિલ્હી, તા. 6 : વિદેશમંત્રી એસ. જયશંકરે ઓરિસ્સાની મુલાકાત દરમિયાન પીઓકેને ભારતનો એક ભાગ ગણાવ્યો હતો. લોકો પીઓકેને ભૂલી ગયા હતા, પરંતુ, લોકો હવે તેને ફરીથી દેશનો ભાગ બનાવવા માગે છે.

ઓરિસ્સાના કટકમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની પીઓકે યોજના વિશે શું વિચારે છે ? આના પર તેમણે જવાબ આપ્યો કે, પીઓકે ક્યારેય દેશની બહાર નથી રહ્યો, તે ભારતનો એક ભાગ છે.

હવે તમે જાણો છો કે કેવી રીતે પીઓકે બહારના લોકો (પાકિસ્તાન) દ્વારા નિયંત્રિત હતું. તમે જાણો છો કે, બહારના લોકો (પાકિસ્તાન) કેવી રીતે ચોરી કરે છે, જ્યારે ઘરની જવાબદારી સંભાળવા માટે કોઈ યોગ્ય વાલી નથી. આમ થયું અને વાલીએ બહારની વ્યક્તિને ઘરમાં પ્રવેશવા દીધો.

જયશંકરે કહ્યું કે, પાકિસ્તાનની આઝાદીના શરૂઆતના વર્ષોમાં આ વિસ્તારો પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, જેના કારણે અહીં (પીઓકે) સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ભવિષ્યમાં શું થશે? તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ, હું તમને કહેવા માગુ છું કે દેશના લોકો પીઓકેને ભુલ્યા નથી.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 પહેલા હટાવી દેવી જોઈતી હતી. 370 પહેલાં કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદ હતો. વિદેશમંત્રી આ દિવસોમાં ઓરિસ્સાના પ્રવાસે છે. તેઓ અહીં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા અને ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. આ સાથે જ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ 11 ડિસેમ્બરે સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024