લખનઉ
સામેની જીતથી આરસીબીનું મનોબળ મજબૂત
પંજાબ
કિંગ્સ ટીમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે
મુલ્લાનપુર,
તા.28: આઇપીએલ-202પના ફાઇનલમાં પહોંચવાનો મુકાબલો ગુરૂવારે ખિતાબથી વંચિત બે ટીમ પંજાબ
કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર પહેલા-બીજા
સ્થાને રહી છે અને ક્વોલીફાયર-1 મેચ રમશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે અને પરાજિત
ટીમ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે ક્વોલીફાયર-2 મેચ રમશે. એલિમિનેટર મેચ ત્રીજા
અને ચોથા નંબરની ટીમ ગુજરાત અને મુંબઇ વચ્ચે શુક્રવારે રમાશે.
શ્રેયસ
અય્યરના નેતૃત્વમાં પંજાબ કિંગ્સે 2014 પછી પહેલીવાર પ્લેઓફમાં જગ્યા બનાવી છે. તેનો
શ્રેય કોચ રીકિ પોન્ટિંગ અને કપ્તાન શ્રેયસ અય્યરની જોડીને મળી રહ્યો છે. બીજી તરફ
આરસીબીને નોકઆઉટ રાઉન્ડમાં ઘણીવાર હારનો સામનો કરવો પડયો છે. આ વખતે તેની નજર ખિતાબનો
દુકાળ સમાપ્ત કરવા પર છે.
પંજાબનું
બેટિંગ બળકુ છે. ઓપનર પ્રભસિમરન અને પ્રિયાંશ પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરી શાનદાર
શરૂઆત આપી રહ્યા છે. કેપ્ટન શ્રેયસ અય્યર, જોશ ઇંગ્લીશ અને શશાંકસિંહ મીડલઓર્ડરને મજબૂત
બનાવે છે. પંજાબની ચિંતા બોલિંગ છે. વિશેષ કરીને માર્કો યાનસનના દ. આફ્રિકા પરત ફરવાથી.
અર્શદીપને બાદ કરતા પંજાબનો કોઇ બોલર છાપ છોડી રહ્યો નથી સફળ સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ
આંગળીની ઇજાને લીધે પાછલા બે મેચ રમ્યો નથી. બેંગ્લુરુ સામેના મહત્ત્વપૂર્ણ મેચમાં
તે વાપસી કરી શકે છે. તેના સાથમાં હરપ્રિત બ્રાર હશે.
બીજી
તરફ ગઇકાલના મેચમાં લખનઉ સામેના મેચમાં રોમાંચક વિજય પછી આરસીબીનું મનોબળ ઉંચું આવ્યું
છે. ખાસ કરીને ટીમના મીડલ ઓર્ડર બેટિંગની ચિંતા ઓછી થઇ છે. વિકેટકીપર જિતેશ શર્મા અને
ડોમેસ્ટિક ક્રિકેટના અનુભવી બેટધર મયંક અગ્રવાલ આરસીબી માટે સંજીવની બની ઉભરી આવ્યા
છે. આ બન્નેએ મંગળવારે રાતે અવિસ્મરણીય ઇનિંગ રમી આરસીબીને જીત અપાવી હતી અને બીજા
સ્થાને પહોંચાડયું હતું. જો કે ટીમનો બધો આધાર વિરાટ કોહલીની ઇનિંગ આસપાસ રહેશે. તે
શાનદાર ફોર્મમાં રન કરી રહ્યો છે. આરસીબીને આશા રહેશે કે ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને
ઓલરાઉન્ડર ટિમ ડેવિડ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બન્નેને ફિટનેસ સમસ્યા છે. મુલ્લાનપુરની પીચ પર પાછલા ચાર મેચમાં ફક્ત એક વખત
જ પહેલો દાવ લેનારી ટીમ 400 ઉપરનો સ્કોર કરી શકી છે. આ મેદાન પંજાબ કિંગ્સનું ઘરેલુ
મેદાન છે. જેનો તેને ફાયદો મળી શકે છે. આ મેદાન પર પંજાબ એક લો સ્કોરીંગ મેચમાં કેકેઆર
વિરુદ્ધ 111 રનના લક્ષ્યનો બચાવ કરવામાં સફળ રહ્યંy હતું. ટોસ જીતનાર ટીમ બોલિંગ પસંદ
કરી શકે છે.