88*
રનની મેચ વિનિંગ ઇનિંગનો શ્રેય મેન્ટોર દિનેશ કાર્તિકને આપ્યો
લખનઉ,
તા.28: આઇપીએલ-202પ સીઝનનો આખરી લીગ મેચ મંગળવારે
લખનઉ અને બેંગ્લુરુ ટીમ વચ્ચે રમાયો હતો. લખનઉ ટીમે તેના કપ્તાન ઋષભ પંતની સદી (118)ની
મદદથી 20 ઓવરમાં 227 રન ખડકયાં હતા. આથી આરસીબી માટે રન લક્ષ્યાંકનો પીછો કરતા જીત
મેળવવી કઠિન હતી. 200થી વધુ રનનો વિજય લક્ષ્ય આરસીબી ફકત બે વખતને જ સર કરી શકી હતી.
ગઇકાલના મેચમાં આરસીબીએ 12 ઓવરમાં 123 રને 4 વિકેટ ગુમાવી દીધી હતી. આથી મેચ આરસીબીની
મુઠ્ઠીમાંથી લગભગ સરકી ગયો હતો, પણ ટીમના ઇનચાર્જ કેપ્ટન જિતેશ શર્માએ 33 દડામાં 8
ચોક્કા અને 6 છક્કાથી અણનમ 8પ રનની ઇનિંગ રમી લખનઉના હાથમાંથી મેચ છીનવી લીધી હતી.
જિતેશ અને મયંક અગ્રવાલ (41) વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફક્ત 4પ દડામાં
107 રન થયા હતા. આ ભાગીદારીએ મેચના પાસા પલટાવ્યા હતા. આરસીબીએ 18.4 ઓવરમાં 4 વિકેટે
230 રન કરી જીત સાથે ટોચની બે ટીમમાં રહી પ્લેઓફ પ્રવેશ કર્યો હતો.
પ્લેયર
ઓફ ધ મેચ જિતેશ શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલીના આઉટ થયા પછી તેની નજર મેચને અંત સુધી
લઇ જવાની હતી. આ દરમિયાન મેન્ટોર દિનેશ કાર્તિકે કેટલીક ટિપ્સ આપી હતી. જિતેશે કહ્યંy
આ જીત માટે શબ્દો નથી. બસ વર્તમાનમાં રહેવાની કોશિશ કરૂ છું. મને દિનેશ કાર્તિકે બતાવ્યું
કે મેચ કઇ રીતે ખતમ કરવાનો છે. દબાણનો આનંદ લઇ રહ્યો છું. મને વિરાટ અને ભુવનેશ્વર
જેવા અનુભવી ખેલાડીઓ સાથે રમવાનો ફાયદો મળી રહ્યો છે. આત્મવિશ્વાસ વધે છે. 3-4 વિકેટ
પડી જવા છતાં અમારી ટીમ ક્યારે પણ જીતનો વિશ્વાસ ગુમાવતી નથી.