• બુધવાર, 04 જૂન, 2025

ઈશાન ભારતમાં ભારે વરસાદથી ખાનાખરાબી : 32નાં મૃત્યુ

વહેલા ચોમાસાએ આસામ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરામાં વિનાશ વેર્યો

 

નવી દિલ્હી, તા.1 : સમયથી પહેલા આવી પહોંચેલા નૈઋત્ય ચોમાસાએ પૂર્વોતરમાં જળ પ્રલય સર્જ્યે છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, ઘર ધરાશાયી થવા, અકસ્માત સહિત વિવિધ બનાવમાં છેલ્લી સ્થિતિએ બે દિવસમાં 3ર લોકોના મૃત્યુ થયા છે. સિક્કિમના ઉત્તરમાં 1પ00 જેટલા પ્રવાસી ફસાયાના અહેવાલ છે. મણિપુરમાં અનેક શહેરોમાં પૂર ફરી વળતાં લોકોને બચાવવા લાઈફ બોટ ઉતારાઈ છે. પૂર હોનારતમાં રાહત-બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવાઈ છે જેણે સેંકડો લોકોને બચાવ્યા છે. આસામ રાયફલ્સની ટૂકડીઓ ઠેર ઠેર દોડી ગઈ છે. મણિપુરમાં 800થી વધુ ઘરને નુકસાન થયું છે.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર બંગાળ અને મેઘાલય ઉપર લો પ્રેસરની સ્થિતીને કારણે આસામ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. પૂર, ભૂસ્ખલન, મકાન-હોટલો ધરાશાયી થયાના બનાવોમાં આસામમાં 16, અરુણાચલમાં 9, મિઝોરમમાં 4 અને મેઘાલયમાં 3 લોકોના મૃત્યુ થયા છે. પૂર્વોત્તરના 4 રાજયમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આસામમાં ભૂસ્ખલન અને પૂરને કારણે જાનહાની થઈ છે. અરુણાચલના પૂર્વ કામેંગ જિલ્લામાં બાના-સેપ્પા નેશનલ હાઈ વે ઉપર ભૂસ્ખલનને કારણે એક કાર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે પરિવારના 7 લોકોના મૃત્યુ થયા છે. ઈમ્ફાલમાં આકાશવાણીનું કાર્યાલય પાણી ફરી વળતાં ખાલી કરાવવું પડયું છે.

આસામના લખીમપુર જિલ્લામાં રંગાનદી ડેમમાંથી પાણી છોડવામાં  આવતાં પૂર આવ્યું છે જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના પશ્ચિમ ભાગના 3 જિલ્લામાં રેડ એલર્ટ અને 8માં ઓરેન્જ જાહેર કરાયું છે. અરુણાચલ અને મેઘાલયમાં ઉપરી વિસ્તારોમાં ભારે વરસાદબાદ પૂર આવ્યું છે. અધિકારી ઓ અનુસાર પૂરને કારણે પ8000 લોકો અસરગ્રસ્ત બન્યા છે. 1રર4 લોકોને પાંચ રાહત  શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. 11 રાહત વિતરણ કેન્દ્ર શરુ કરાયા છે. મિઝોરમના સેરછીપમાં 13 મકાન ધરાશાયી થયા છે.

 

કર્ણાટકમાં વરસાદે 125 વર્ષનો રેકોર્ડ તોડયો

કર્ણાટકમાં આ વર્ષે વરસાદે 1રપ વર્ષનો રેકોર્ડ તાડયો છે. ચોમાસા પહેલા અને મે મહિનામાં જેટલો વરસાદ વરસ્યો છે તે  છેલ્લા 1રપ વર્ષમાં વરસ્યો નથી. રાજ્યમાં મે માસમાં સામાન્ય રીતે 74 મીમી વરસાદ પડે છે જેની સામે આ વર્ષે ર19 મીમી પડયો છે. જે સામાન્યથી 197 ટકા વધુ છે. છેલ્લા 60 દિવસમાં વરસાદને લગતાં વિવિધ બનાવમાં 71 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાર્યાલય દ્વારાઅ ા વિગતો જાહેર કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક