વાર્ષિક આધાર પર 16.4 ટકા વધારો, આયાતમાંથી 46,913 કરોડ વસૂલાયા
નવી
દિલ્હી, તા. 1 : મોંઘવારી અને અર્થવ્યવસ્થા પર ભારણ વચ્ચે કેન્દ્ર સરકારે મે 2025માં
2.01 લાખ કરોડ રૂપિયાની જંગી જીએસટી વસૂલાત કરી છે. વાર્ષિક આધાર પર વસૂલાત 16.4 ટકા
વધી છે. સરકારે રવિવારે આંકડા જારી કર્યા હતા. એક વર્ષ પહેલાં મે-2024માં સરકારે 1.73
લાખ કરોડ રૂપિયા જીએસટી વસૂલ્યો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2025માં વાર્ષિક
આધાર પર 12.6 ટકાના વધારા સાથે 2.37 લાખની વસૂલાત કરાઈ હતી. જે જીએસટી વસૂલાતનો વિક્રમ
હતો.
આયાત
મારફતે 46,913 કરોડ રૂપિયા જીએસટી વસૂલાત કરાતાં આ માર્ચે એક વર્ષમાં 20.8 ટકાનો વધારો
થયો છે.
એપ્રિલ
2025માં સરકારે 27,341 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું હતું. રિફંડ બાદ ચોખ્ખી જીએસટી
વસૂલાત 2.09 લાખ કરોડ રૂપિયા રહી હતી. સરકારે પહેલી જુલાઈ, 2017થી દેશભરમાં જીએસટી
લાગુ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 કર, ઉપકર હટાવી દેવાયા હતા.