શહેરના 4 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા, 33 દર્દી હોમ આઇસોલેટ હેઠળ
નવાગામ
આણંદપરમાં 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટ,
તા.1 : શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત્ છે, જેના કારણે શહેરીજનોમાં
ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ
37 કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી 4 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ
ચૂક્યા છે. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે અને આરોગ્ય તંત્ર દ્વારા
પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી
રહી
છે.
આજે
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા છે તેમાં માસ્તર સોસાયટીમાં 45 વર્ષીય
મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૈયારોડ નજીક 69 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત
થયા છે. ઉમા પાર્ક વિસ્તારમાં 52 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અતિથિ ચોક
નજીક 56 વર્ષીય પુરુષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સોપાન હાઇટ્સમાં 25 વર્ષીય પુરુષનો
રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસો નોંધાતાની સાથે જ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની
સંખ્યા 37 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય
વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ
રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં
આવી રહી છે. શહેર ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે.
અગાઉ ગૌરીદળથી એક કેસ નોંધાયો હતો. આજે નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો
રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય
છે કે, હાલ રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રાજકોટની પરિસ્થિતિ પર સતત
નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડયે વધુ કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં
આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વેન્ટિલેટરની સાથે 20 બેડની વ્યવસ્થા ઉભી
કરવામાં આવી છે. તો દવાઓ, ઇંજેક્શન અને પીપીઈ કીટ સહિતની તમામ