વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સિંધના યુવાનોને આહ્વાન કર્યા પછી ચીનનું નામ આપ્યા વિના જ તેના ઉપર
નિશાન સાધ્યું છે. ‘અૉપરેશન સિંદૂર’ની જવાબદારી માત્ર સરહદ ઉપર આપણા સૈનિકો નથી, કરોડો
ભારતવાસીઓની પણ છે. આપણે વિદેશી ચીજો કેટલી વાપરીએ છીએ તે જુઓ: ગણપતિ પણ વિદેશી - ઝીણા,
અડધા નેત્ર બંધ (ચીનનો માલ હોવાની ખાતરી) હોય, હોળીનો રંગ હોય, રમકડાં હોય કે પછી મહિલાઓના
વાળની પીન હોય - બધું જ વિદેશી! 2047માં ભારતને સર્વશ્રેષ્ઠ - આત્મનિર્ભર બનાવવા માટે
આપણે વિદેશી માલનો ત્યાગ - બહિષ્કાર કરીને ‘મેઈડ ઈન ઇન્ડિયા’ માલસામાનની ખરીદી કરવી
જોઈએ. મોદીનો આ સંદેશ ચીની માલથી ઊભરાતી બજારો અને સસ્તા માલ-સામાન ખરીદવાની લોકોની
ઘેલછા સામે છે.
ચીન
પાકિસ્તાનને શત્ર સહાય અને સમર્થન આપે છે અને ભારતની બજારોમાં માલ ઠાલવીને કિંમત વસૂલ
કરે છે ત્યારે મોદીસાહેબે અૉપરેશન સિંદૂર સાથે ભારતીય આત્મનિર્ભર અભિયાન અને વિદેશી
માલના બહિષ્કારની હાકલ કરીને ચીનને ચેતવણી આપી છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ચીની
માલ-સામાને અમેરિકાનાં બજારો કબજે કરી લીધાં છે તેની સામે ટેરિફ વૉર શરૂ કરી છે. હવે
ભારત પણ અર્થતંત્રના રક્ષણ માટે “દીવાલ’’ બાંધવાની તૈયારી કરે છે.
પાકિસ્તાન
અને બાંગ્લાદેશ તથા તુર્કી અને અઝરબૈજાન સાથેના વ્યાપાર સંબંધ ઉપર નિયંત્રણ - પ્રતિબંધ
મૂક્યા પછી હવે ચીનનો વારો છે.
વડા
પ્રધાનની વાત તદ્દન સાચી છે કે આપણાં બજારોમાં ચીની માલ ધૂમ વેચાય છે. હોળી હોય કે
દિવાળી - ચીન માટે રોજની દિવાળી છે. પણ પ્રશ્ન એ છે કે આટલો બધો માલ-સામાન આવે છે કઈ
રીતે? ભારત સરકાર સરહદ ઉપર જ રોકી શકે નહીં? આપણા દેશમાં જ આવી તમામ આઈટમોનું ઉત્પાદન
વધારવા માટે ઉદ્યમી - સાહસિકોને બોલાવીને એમની સમસ્યાઓ - અવરોધનો નિકાલ કરવો જોઈએ અને
પૂરતું પ્રોત્સાહન આપવું જોઈએ. સરકાર આ દિશામાં આગળ વધે તો ભારતીય ઉદ્યોગ - વ્યાપાર
તેની રાષ્ટ્રહિતની ભાવના જરૂર બતાવશે.
સ્વાતંત્ર્ય
સંગ્રામ વખતે મહાત્મા ગાંધીએ “સ્વદેશી’’ આંદોલન શરૂ કરીને વિદેશી (બ્રિટિશ) માલની હોળી
કરી હતી. આવો “િસ્પરિટ’’ - હવે ફરીથી જગાવવાનો સમય આવ્યો છે. વિરોધ પક્ષો આ પ્રસ્તાવ
અને અભિયાનનો વિરોધ કરશે - જરૂર. પણ જનતા હવે આવા વિરોધ અને વિરોધીઓને દાદ આપવા બિલકુલ
તૈયાર નથી.