એજીઆરમાં રાહત આપવા આઈડિયા, ટાટા ટેલી અને એરટેલને રાહત આપવા સુપ્રીમનો ઈનકાર
નવીદિલ્હી, તા.19: દેશની ત્રીજી
સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે વોડાફોન-આઈડિયા, એરટેલ અને ટાટા ટેલીસર્વિસ તરફથી બાકી એજીઆર ઉપર વ્યાજ,
પેનલ્ટી ઉપર વ્યાજમાંથી છૂટ માગતી અરજી કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી
દીધી છે.
આ પહેલા વોડાફોન-આઈડિયા દ્વારા
દાવો કરવામાં આવ્યો હતો કે, જો તેને રાહત નહીં મળે તો તે માર્ચ 2026થી આગળ પોતાનું
કામ ચલાવી શકશે નહીં. જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ આર.મહાદેવનની ખંડપીઠે આજે
આ મામલે સુનાવણી કરતા ટેલીકોમ કંપનીઓને કોઈપણ પ્રકારની રાહત આપવાની ના કહી દીધી હતી.
આ ફેંસલાથી એરટેલ અને ટાટાને તો વધુ અસર નહીં થાય પણ વોડાફોન-આઈડિયાને આનાથી તાળા મારવાનો
વખત આવી શકે છે. કારણ કે તેને માર્ચ 2026માં દૂરસંચાર વિભાગને 18000 કરોડ રૂપિયાનાં
એજીઆરનો હપ્તો ચૂકવવાનો છે. જે ચૂકવવા તે સક્ષમ નથી. આનાં હિસાબે આજે વોડાફોન-આઈડિયાનાં
શેરનાં ભાવમાં મોટો 8 ટકાનો કડાકો બોલી ગયો હતો અને તેનો ભાવ 6.77 રૂપિયા થઈ ગયો હતો.