• રવિવાર, 01 જૂન, 2025

એશિયા કપના બહિષ્કારની ખબરનું BCCIએ ખંડન કર્યું

હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી:  સેક્રેટરી દેવજીત સૈકિયાની સ્પષ્ટતા

નવી દિલ્હી તા.19: ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવભરી સ્થિતિને લીધે બીસીસીઆઇએ એશિયા કપનો બહિષ્કાર કર્યાંની ખબર વહેતી થઇ હતી. આ પછી આજે સાંજે બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે એશિયા કપ અને મહિલા ઇમર્જિંગ એશિયા કપમાંથી હટવાનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે આ બધી ખબરો અટકળબાજી અને કાલ્પનિક છે. અમે કોઇ નિર્ણય લીધો નથી.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે અને એશિયન ક્રિકેટ કાઉન્સિનું પણ અધ્યક્ષપદ સંભાળી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ભારતની યજમાનીમાં ટી-20 ફોર્મેટમાં એશિયા કપનું આયોજન થયું છે. જયારે શ્રીલંકામાં મહિલા એશિયા કપમાં ઇમર્જિંગ ટીમો ભાગ લેશે. જો ટીમ ઇન્ડિયા એશિયા કપમાં ભાગ લેશે નહીં, તો આ ટૂર્નામેન્ટનું આયોજન શકય નથી.

આ બન્ને ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ હિસ્સો હોવાથી બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાને નહીં ઉતારવાનો નિર્ણય લીધાનું સામે આવ્યું હતું. જેનું બીસીસીઆઈએ ખંડન કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક