અમદાવાદ, તા. 30 : આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં પણ વધારો થશે એમ કહેતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું. તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. જેથી રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી છે જ્યારે માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જોકે હાલ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ વરસાદ રહેશે. ત્યાર બાદ આ સિસ્ટમનું જોર ઘટતાં વરસાદનું જોર પણ ઘટી જશે.
હવામાન ડાયરેક્ટર એ.કે. દાસે
જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન
કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની
આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી. એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ
દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. જેને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય
કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.