• સોમવાર, 02 જૂન, 2025

અનિરુદ્ધાસિંહ અને રાજદીપાસિંહ સામે પોલીસ કાઢી શકે છે ‘લૂકઆઉટ નોટિસ’

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તપાસ તેજ : રીબડાના પિતા-પુત્ર વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની શંકા 

રાજકોટ, તા. 31: 

રીબડાના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધાસિંહ જાડેજા, તેમના દીકરા રાજદીપાસિંહ જાડેજા અને મિસ્ટર એક્સ એટલે કે જૂનાગઢના એક શખસ રહીમ મકરાણીનું નામ સામે આવ્યું હતું. જેઓ કદાચ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા લૂક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી શકે છે.  મળતી માહિતી મુજબ, રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ બાદ રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટે આપઘાત કર્યો હતો. જે આપઘાત બાદ તેમની પાસેથી 4 પાનાની એક સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ તેને દુષ્કર્મના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો અને મરવા મજબૂર કર્યાનો ઉલ્લેખ પણ કરાયો હતો. આ કૃત્યમાં રીબડાનાં અનિરુદ્ધાસિંહ મહીપતાસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપાસિંહ જાડેજા ઉપરાંત રાજકોટની રિદ્ધિ પટેલ અને પૂજા ગોરનાં નામનો ઉલ્લેખ કરાયો છે. તેમજ પોતે હની ટ્રેપનો ભોગ બન્યો છે તેવું લખેલું છે.   પોલીસે ભોગ બનનાર તરૂણી અને પૂજાની ધરપકડ કરી પૂછતાછ કરતા રાજકોટના એડવોકેટ સંજય પંડિત, ગોંડલના એડવોકેટ દિનેશ પાતરે માર્ગદર્શન આપ્યું હોવાનું ખૂલતા તે બંનેની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમજ અમિતને ફ્સાવવા જુનાગઢના રહીમ મકરાણીએ પ્લાન ઘડ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બનાવના 25 દિવસ પછી પણ રીબડાના અનિરુધ્ધાસિંહ જાડેજા, રાજદીપાસિંહ જાડેજા અને જૂનાગઢના રહીમ મકરાણી સહિત ત્રણેય ફરાર હોય અને તેઓ દેશ છોડી નાસી છુટવાની ફિરાકમાં હોવાની શંકાના આધારે ગ્રામ્ય પોલીસ દ્વારા રહીમ ઉપરાંત અનિરૂદ્ધાસિંહ અને તેના પૂત્ર રાજદીપાસિંહ સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવા કવાયત હાથ ધરાઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક