• શનિવાર, 31 મે, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: મલય દિલીપભાઇ સીતાપરાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 702મું ચક્ષુદાન થયેલું છે.

પોરબંદર: પરેશભાઇ વેકરીયા (ઉ.57) તે સ્વ. અમૃતલાલ રામજી વેકરીયાના પુત્ર તથા ઉદયભાઇના નાનાભાઇ, સીરીશભાઇ પ્રભુદાસ ગગલાણીના સાળા, આરતીબેન સીરીશભાઇ ગગલાણીના ભાઇ, અંકિત તથા અનિકેતના કાકાનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.29ને ગુરૂવારે 5 થી 6 સોરઠીયા વણિક જ્ઞાતિની વંડી, હાથી ટાંકી રોડ ખાતે છે.

પોરબંદર: પુષ્પાબેન કૃષ્ણદેવ થાનકી (ઉ.81) તે રિધ્ધીશ, તૃષા કિરણ જાની, પ્રજ્ઞા કિશોરભાઇ મોઢા, અર્ચના કૃષ્ણદેવ થાનકીના માતા તથા પીનાબેન રિધ્ધીશભાઇ થાનકી, કિરણભાઇ જેઠાલાલ જાની, કિશોરભાઇ લાલજીભાઇ મોઢાના સાસુ, ઓમના દાદીમા તથા નિશાંત, અમીષા, નિતલ, કાજલ, સોનલ અને શિવમના નાનીમાનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.29ને ગુરૂવારે 4 વાગ્યે નાગરવાડા રામ મંદિર ખાતેના તેમના નિવાસસ્થાને છે.

ખંભાળિયા: કાંતિભાઇ (ઉ.75) તે સ્વ. જગજીવનભાઇ દેવશીભાઇ વિંછીના પુત્ર તથા કિરીટભાઇ, હિતેશભાઇ, પ્રજ્ઞેશભાઇના મોટાભાઇ તથા ધર્મેશભાઇ, મલયભાઇના પિતાનું તા.24ના અવસાન થયું છે.

અમદાવાદ: વિપુલભાઇ (ઉં.51) તે સ્વ. રમણીકલાલભાઇ અને સ્વ. ભારતીબેન પારેખના પુત્ર, કાજલબેનના પતિ, દૃષ્ટિ અને દિયાના પિતા તથા અમિતભાઇના મોટાભાઇનું તા.25ને સોમવારે અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સવારે 9થી 11 ઓર્ચિડ ગ્રીન ફિલ્ડ, કોમન ગ્રાઉન્ડ એરિયા, એપલ વુડ ટાઉનશીપ, શેલા, અમદાવાદ ખાતે છે.

મોરબી: હર્ષદભાઇ (ઉં.68) તે સ્વ. દિનુમતીબેન જમનાદાસ કેવળચંદ દોશીનાં પુત્ર, પન્નાબેનના પતિ, દિપેશભાઇ અને અલ્પેશભાઇનાં પિતા તેમજ અતુલભાઇ અને સંજયભાઇના મોટાભાઇ તેમજ પ્રતિભાબેન કિશોરભાઇ શાહ અને ચંદ્રિકાબેન મુકેશભાઇ મહેતાના ભાઇ તેમજ નિધિબેન અને કાજલબેનનાં સસરા, જીનય, મીત અને રિયાના દાદા તેમજ મનસુખલાલ લીલાધર મહેતા (જામનગર)ના જમાઇનું તા.26ને સોમવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા અને ઉઠમણું તા.28ને બુધવારે સવારે 9-30 કલાકે તેમજ પ્રાર્થના સભા સવારે 11 કલાકે ઉઠમણું દરબારગઢ જૈન ઉપાશ્રય, પ્રાર્થના સભા, શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, મોરબી ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક